શરઈ મસાઈલનો હલ
403 subscribers
1 photo
341 links
આ ચેનલમાં માત્ર દીની અગત્યના મસાઈલ મોકલવામાં આવશે.
Download Telegram
નિકાહમાં ગવાહીના મસાઈલ
📖 *❀ આજનો મસ્અલહ્ ❀* 📖
(૧૦૭)
કુંવારી બાલિગાના નિકાહ બાપ અને એક ગવાહની હાજરીમાં
જો બાપ પોતાની કુંવારી પુખ્ત વયની છોકરીનો નિકાહ એક ગવાહની હાજરીમાં કરે અને છોકરી પોતે નિકાહની મજલિસમાં હાજર હોય તો આ નિકાહ સહીહ થઈ જશે અને બાપ અને બીજો હાજર વ્યક્તિ બે ગવાહ ગણાશે અને બાલિગા છોકરી પોતે પોતાનો અક્દ કરવાવાળી ગણાશે અને જો છોકરી નિકાહની મજલિસમાં હાજર ન હોય તો બાપ તેના તરફથી વલી(જીમ્મેદાર) ગણાશે અને ગવાહોની સંખ્યા બે ન હોવાથી નિકાહ નહીં થાય. (કિતાબુલ મસાઈલ ૪/૧૧૮)

શરઈ મસાઈલનો હલ ગ્રૂપ ❂* 📡

*🔗 ટેલિગ્રામ ચેનલ લિંક :*
https://t.me/Sharee_Mas
નિકાહમાં ગવાહીના મસાઈલ
📖 *❀ આજનો મસ્અલહ્ ❀* 📖
(૧૦૮)
ગવાહોએ અલગ અલગ ટાઈમમાં ઈજાબોકબૂલ સાંભળવું
નિકાહમાં ગવાહોએ એક સાથે ઈજાબોકબૂલ સાંભળવું શર્ત છે જો એક ગવાહની હાજરીમાં અક્દ થયો પછી તે મજલિસ છોડી જતો રહે ત્યાર બાદ બીજા ગવાહના સામે ફરીથી ઈજાબોકબૂલ કરવામાં આવે અથવા દાખલા તરીકે એક ગવાહ ફક્ત ઈજાબના શબ્દો સાંભળે અને બીજો ગવાહ ફક્ત કબૂલના શબ્દો સાંભળે ત્યાર બાદ ફરીથી અક્દ કરવામાં આવે જેમાં પહેલો ગવાહ ફક્ત કબૂલના શબ્દો સાંભળે અને બીજો ગવાહ ફક્ત ઈજાબના શબ્દો સાંભળે તો જો કે ઉપરની બધી શક્લોમાં ગવાહોએ એક સાથે ઈજાબોકબૂલ નથી સાંભળ્યું એટલા માટે નિકાહ સહીહ નહીં થાય.
(કિતાબુલ મસાઈલ ૪/૧૨૦)

શરઈ મસાઈલનો હલ ગ્રૂપ ❂* 📡

*🔗 ટેલિગ્રામ ચેનલ લિંક :*
https://t.me/Sharee_Mas
નિકાહમાં હુરમતના મસાઈલ
📖 *❀ આજનો મસ્અલહ્ ❀* 📖
(૧૦૯)
નિકાહમાં હુરમતના કારણો નીચે મુજબ છે.
(૧)ખુની રિશ્તેદાર (૨) મુસાહરત એટલે કે નિકાહનો રિશ્તો અથવા તેના કાઈમ મુકામ ઝિના અથવા નજર અથવા લમ્સ (પકડવુ) વગેરેથી બનવાવાળા રિશ્તા (૩)દુધશરીક રિશ્તો (૪)જમા એટલે કે નિકાહમાં એવી બે ઓરતોને જમા કરવી જેમાંથી જો એકને મર્દ માનવામાં આવે તો તે બીજા માટે હલાલ ન થાય અથવા એક નિકાહમાં ચારથી વધુ ઓરતોને જમા કરવી (૫)મિલ્ક એટલે કે ઓરતનુ બાંદી હોવું (૬)શિર્ક એટલે કે મિયાંબીવી માંથી કોઈ નુ મુશરિક હોવું (૭)આઝાદ ઓરત નિકાહમાં હોવા છતાં બાંદીથી નિકાહ કરવા (૮) ઓરતને ત્રણ તલાક આપવી (૯) ઓરત બીજા મર્દના નિકાહ અથવા ઈદ્દતમાં હોય.
નોંધ: ઉપર લખેલ કારણોમાં પહેલાં ત્રણ તો એવા છે જે હમેશા હરામ રહે છે એટલે કે એ ઓરતો માણસ માટે ક્યારેય પણ હલાલ નથી થતી. અને ત્રણના સિવાય બીજા કારણો આરજી તોર પર છે દાખલા તરીકે બે મહરમ ઓરતોને અલગ અલગ જમાનામાં નિકાહમાં રાખે કે પહેલા એક બહેનથી નિકાહ કરે પછી તેની વફાત બાદ બીજી બહેનથી નિકાહ કરી લે એવીજ રીતે ત્રણ તલાક વાળી ઓરત સાથે હલાલા બાદ ફરીથી નિકાહ કરી લે વગેરે વગેરે. (કિતાબુલ મસાઈલ ૪/૧૫૭)
શરઈ મસાઈલનો હલ ગ્રૂપ ❂* 📡

*🔗 ટેલિગ્રામ ચેનલ લિંક :*
https://t.me/Sharee_Mas
નિકાહમાં હુરમતના મસાઈલ
📖 *❀ આજનો મસ્અલહ્ ❀* 📖
(૧૧૦)
ખૂની રિશ્તાની બુનિયાદ પર નીચે મુજબ ઓરતો હરામ થાય છે
(૧) મા દાદી નાની ઉપર સુધી (૨) છોકરી પોત્રી નિવાસી નીચે સુધી (૩)બહેન ભલે તે સગી બહેન હોય અથવા બાપ શરીક અથવા મા શરીક (૪)ભત્રીજી ભાણકી નીચે સુધી (૫)ફોઈ અને માસી અને પોતાના મા બાપની ફોઈ અને માસી ભલે તે સગી હોય અથવા બાપ શરીક હોય અથવા મા શરીક હોય એવીજ રીતે દાદા દાદીની અવલાદ ઉપર સુધી. અલબત્ત ફોઈ અને માસીની છોકરી સાથે નિકાહ કરી શકાય છે એટલે કે ફોઈ અને માસીમા હુરમત તેમના સુધીજ મહદૂદ છે તેમની અવલાદમા હુરમત નથી. (કિતાબુલ મસાઈલ ૪/૧૫૮-૧૫૯-૧૬૦) નોંધ :જેવી રીતે આ ઓરતો મર્દ પર હરામ છે એવીજ રીતે ઓરત પર ઉપરના રિશ્તા મુજબ મર્દ હરામ છે દાખલા તરીકે ઓરત માટે પોતાના પિતા અથવા છોકરા અથવા ભાઈ અથવા ભત્રીજા અથવા કાકા અથવા મામા સાથે નિકાહ કરવા બિલકુલ હરામ છે.

શરઈ મસાઈલનો હલ ગ્રૂપ ❂* 📡

*🔗 ટેલિગ્રામ ચેનલ લિંક :*
https://t.me/Sharee_Mas
નિકાહમાં હુરમતના મસાઈલ
📖 *❀ આજનો મસ્અલહ્ ❀* 📖
(૧૧૧)
*જો કોઈ વ્યક્તિ નામહરમ ઓરતને પોતાની છોકરી બનાવી મોટી કરે અથવા કોઈ ઓરત કોઈ મર્દને પોતાનો છોકરો બનાવી મોટો કરે તો તેનાથી કોઈ હુરમત આવતી નથી એટલે કે તે રિશ્તામા ખૂની રિશ્તાની જેમ નિકાહમાં હુરમત નહીં આવે.
*જો કોઈ મર્દ કોઈ ઓરતને મોં બોલી બહેન બનાવે અથવા કોઈ ઓરત કોઈ મર્દને મોંબોલો ભાઈ બનાવે તો આ રિશ્તાથી ખૂની રિશ્તાની જેમ નિકાહમાં હુરમત નહીં આવે અને નિકાહના મામલામાં આવા રિશ્તાનો કોઈ એઅ્‌તેબાર નહીં થાય.
(કિતાબુલ મસાઈલ ૪/૧૬૧)

શરઈ મસાઈલનો હલ ગ્રૂપ ❂* 📡

*🔗 ટેલિગ્રામ ચેનલ લિંક :*
https://t.me/Sharee_Mas
મહરના મસાઈલ
📖 *❀ આજનો મસ્અલહ્ ❀* 📖
(૧૧૨)
મહરનું માલ હોવુ જરૂરી છે
હનફિય્યાના નજીક મહરનું માલ હોવુ જરૂરી છે જો કોઈ વ્યક્તિ મહરમાં કોઈ એવી વસ્તુ આપે જે માલ ન હોય દાખલા તરીકે નઅઊજુબિલ્લાહ કોઈ વ્યક્તિ મહરમાં શરાબ અથવા સુવ્વર નક્કી કરે જે મુસલમાનના હકમા માલ નથી તો આ નક્કી કરવાનો કોઈ એઅ્‌તેબાર નહીં થાય બલ્કે કાઈદા પ્રમાણે મહરે મિષ્લ વાજિબ થશે. (કિતાબુલ મસાઈલ ૪/૨૯૨)

શરઈ મસાઈલનો હલ ગ્રૂપ ❂* 📡

*🔗 ટેલિગ્રામ ચેનલ લિંક :*
https://t.me/Sharee_Mas
મહરના મસાઈલ
📖 *❀ આજનો મસ્અલહ્ ❀* 📖
(૧૧૩)
મહરમાં આઝાદ મર્દ પર ઓરતની ખિદમત નક્કી કરવી
જો મહરના તોર પર આ નક્કી કરવામાં આવે કે આઝાદ મર્દ એક મુદ્દત સુધી ઓરતની ખિદમત કરે તો આ ખિદમતને મહર નકકી કરવામાં નહીં આવે બલ્કે શોહર પર મહરે મિષ્લ વાજિબ થશે (કારણ કે આ શર્ત નિકાહના તકાજાના વિરૂધ્ધ હોવાની સાથે સાથે શોહર માટે બેઈજ્જતીનો પણ સબબ છે.)
(કિતાબુલ મસાઈલ ૪ /૨૯૩)
શરઈ મસાઈલનો હલ ગ્રૂપ ❂* 📡

*🔗 ટેલિગ્રામ ચેનલ લિંક :*
https://t.me/Sharee_Mas
અકીકહ વિશે શરઈ માર્ગદર્શન (૨)

*મસ્અલહ :- બાળકની પેદાઈશના સાતમા દિવસે અકીકહ કરવો મુસ્તહબ છે, દા.ત. જુમ્અહના દિવસે બાળક થયું હોય તો તે પછી આવતી જુમેરાતના દિવસે અકીકહ કરવો મુસ્તહબ છે, જો કોઈ કારણસર પેદાઈશના સાતમા દિવસે અકીકહ ન થઈ શકતો હોય તો ચૌદમા દિવસે અને તે દિવસે કોઈ અગવડ હોય તો એકવીસમા દિવસે કરવો અફઝલ છે, મતલબ કે જે વારે બાળકની વિલાદત થઈ હોય તેના આગલા દિવસે જે વાર પડતો હોય તે વારે અકીકહ કરવામાં આવે, જેમકે ઉપરોકત ઉદાહરણ મુજબ જયારે પણ અકીકો કરે જુમેરાતના દિવસે કરવામાં આવે.*

*મસ્અલહ :- જે છોકરુ મરી ગયુ હોય તેના અકીકાનો હુકમ નથી.*
શરઈ મસાઈલનો હલ ગૃપ
https://t.me/Sharee_Masail
અકીકહ વિષે શરઈ માર્ગદર્શન (૧)

✍️ એમ. વાય. એ. પટેલ

અકીકહ :- પેદા થયેલ બાળકના શુક્રિયહ માટે જાનવર ઝબહ કરવામાં આવે છે તેને અકીકહ કહે છે

અકીકા નામ રાખવાનુ કારણ:- અકીક તે બાલોને કહેવામાં આવે છે, જે બાળકની પેદાઈશ વખતે તેના માથા પર હોય છે, તો જ્યારે બાળકના બાલ મુંડવામા આવે છે, ત્યારે જાનવર ઝબહ કરવામાં આવે છે તેના લઈ તે વખતે જાનવર ઝબહ કરવાને અકીકો કહેવામાં આવે છે. (કિતાબુલ મસાઈલ ૨)

મસ્અલહ :- અકીકો કરવો વાજિબ કે સુન્‍નતે મુઅક્‌કદહ નથી. હા, મુસ્તહબ છે, પણ અકીકાની હદીસ શરીફમાં તરગીબ દેવામાં આવેલી છે, અને એના ફાયદા પણ બતાવવામાં આવ્યા છે, માટે જો કોઈની આર્થિક હાલત સારી હોય તો આ મુસ્તહબ અદા કરી તેની બરકતો હાસિલ કરવી જોઈએ.

હજરત સમુરહ (રદિ.) ફરમાવે છે કે હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) એ ફરમાવ્યું કે બચ્ચું એના અકીકાના બદલામાં ગિરો છે, એના તરફથી સાતમા દિવસે જાનવર ઝબહ કરવામાં આવે અને નામ નક્કી કરવામાં આવે અને એનું માથું મૂંડાવી નાખવામાં આવે.(મિશ્કાત શરીફ )
ગિરો હોવાનો મતલબ એ છે, કે આફતોથી હિફાઝત અકીકાની બરકતથી મળશે, અથવા અકીકાની બરકતથી બચ્ચાથી પૂરો ફાયદો પ્રાપ્ત થશે. કારણ કે અવલાદ વાલિદૈન માટે એક નેઅમત છે.

https://t.me/Sharee_Masail
શરઈ મસાઈલનો હલ ગૃપ
📖        ❀ આજનો મસ્અલહ્ ❀        📖
                            (૩૧)
🔘 નમાઝમાં આંખો બંધ રાખવાનો હુકમ.

☞ નમાઝમાં આંખો બંધ રાખવી મકરૂહે તનઝીહી છે. અને સજદહની જગ્યાએ જોવું સુન્નત છે, પરંતુ જો આંખો ઉઘાડી રાખવાથી, અને જોવાથી દિલ આમ–તેમ કેન્દ્રિત થઈ જતુ હોય અને નમાઝમાં ખુશૂઅ ન રહેતો હોય અને બંધ રાખવાથી નમાઝમાં વધારે દિલ લાગતું હોય તો બંધ રાખવી જાઈઝ છે.         (શામી – ૧/૪૩૪, ઝુબ્દતુ'લ ફતાવા.૨/૪૯૫)

📲    ❂ શરઈ મસાઈલનો હલ ગ્રૂપ ❂    📡

🔗 ટેલિગ્રામ ચેનલ લિંક :
https://t.me/Sharee_Masail
📖 *❀ આજનો મસ્અલહ્ ❀* 📖.
(૧)
કુર્બાની વાજીબ થવાની શર્તો
કુર્બાની વાજીબ થવાની શર્તો નીચે મુજબ છે
(૧) આઝાદ હોવું (૨) મૂસલમાન હોવું (૩) કુર્બાની ના દિવસોમાં મુકીમ હોવું (૪) કુર્બાની ના દિવસોમાં નિસાબના બકદર માલનું (રૂપિયા પૈસા સોના ચાંદી અથવા વેપાર નો માલ અથવા જરૂરત થી વધુ માલનું) માલિક હોવું
નોંધ :ધ્યાન રહે કે કુર્બાની ના વુજુબ માટે માલ પર વર્ષ પુરૂ થવું અને માલે નામી (વધવા વારો માલ) નું હોવુ જરૂરી નથી
(કિતાબુલ મસાઈલ ૨/૩૦૦)

📲 *❂ શરઈ મસાઈલનો હલ ગ્રૂપ ❂* 📡

*🔗 ટેલિગ્રામ ચેનલ લિંક :*
https://t.me/Sharee_Masail
કુર્બાની
📖 *❀ આજનો મસ્અલહ્ ❀* 📖.
(૨)
માલદાર માણસ કુર્બાની ના દિવસોમાં ફકીર થઈ જાય
કોઈ વ્યક્તિ માલદાર હતો અને માલદારીની હાલતમાં કુર્બાની માટે જાનવર લીધું હતું ત્યાર બાદ એ જાનવર ગુમ થઈ ગયું અથવા હલાક થઈ ગયું અને જ્યારે કુર્બાનીના દિવસો આવ્યા ત્યારે આ માણસ ફકીર થઈ ગયો એટલે કે નિસાબ પ્રમાણે માલનો માલિક ન રહ્યો, તો તેના પર બીજા જાનવરની કુર્બાની વાજીબ નથી.
(કિતાબુલ મસાઈલ૨/૩૦૨)

📲 *❂ શરઈ મસાઈલનો હલ ગ્રૂપ ❂* 📡

*🔗 ટેલિગ્રામ ચેનલ લિંક :*
https://t.me/Sharee_Masail
આજનો મસ્અલહ

*રોઝહના જરૂરી મસાઇલ*
*એવા કામો જેનાથી રોઝો તુટતો નથી કિસ્ત ૧*
(૧)ભૂલથી ખાવા–પીવા અને સંભોગ કરી લેવાથી રોઝહ તૂટતો નથી. (બુખારી શરીફ : ૧/રપ૯)
(૨) રોઝાની હાલતમાં લોહી ટેસ્ટ કરાવવાથી ‌રોઝો તુટશે નહીં
(૩) રોઝાની હાલતમાં ઇન્જેકશન કે રસી લેવાથી રોઝો નહીં તુટે પરંતુ જો ઈન્જેકશન એવું હોય કે દવા ડાયરેકટ દિમાગ યા પેટ સુધી પહોંચતી હોય તો રોઝહ તૂટી જશે.
(૪) રોઝાની હાલતમાં ગ્લૂકોઝની બોટલ ચઢાવવાથી રોઝો નહીં તુટે પરંતુ મજબૂરીવગર બચવુ જોઈએ.
(૫) રોઝાની હાલતમાં ડાયાલિસીસ કરાવવવાથી રોઝો તુટતો નથી
(૬) ઓક્સિજન ચઢાવવાથી રોઝો તુટશે નહીં ક્રમશઃ
(મુસ્તફાદ કિતાબુલ મસાઇલ ૨/૧૫૩ ૧૫૪ ઝુબ્દતુલ ફતાવા ૪ /૩૧૯)

*" શરઇ મસાઇલ નો હલ " ગ્રૂપ*
*રોઝહના જરૂરી મસાઇલ એવા કામો જેનાથી રોઝો તુટતો નથી કિસ્ત ૨*
(૭) ઈખ્તિયાર (અંકુશ) વગર ગળામાં માખી કે મચ્છર જવાથી રોઝહ તૂટતો નથી.
(૮) દાંતમાંથી ખૂન નીકળ્યું, અને પેટમાં ન જાય તો તેનાથી રોઝહ તૂટશે નહિ.
(૯) જો કોઈ ખોરાક દાંતમાં ચણાની માત્રાથી કમ–ઓછો ફસાયેલો હોય, પછી મોંમાંથી કાઢયા વગર તેને ગળી ગયો તો રોઝહ તુટશે નહિ.
નોંધ : અને જો દાંતમાંથી ખોરાક કાઢી હાથમાં લઈ તેને મોઢામાં લઈ ગળી ગયો તો રોઝહ તૂટી ગયો
(૧૦) ગુસલની ઠંડક બદનની અંદર પહોંચવી
ગરમી અને તરસના લીધે ગુસલ કરવું કરાહત વગર જાઇઝ છે. ભલેને પાણીની ઠંડક બદનના અંદરના ભાગમાં પહોંચી રહી હોય.
(૧૧) કોગળો કર્યા પછી મોઢામાં પાણીની જે તરી રહી જાય છે તેને થૂંક સાથે ગળી જવાથી રોઝામાં કોઈ ખરાબી આવતી નથી (કિતાબુલમસાઇલ ૨/૧૫૫ ૧૫૬ ઝુબ્દતુલફતાવા ૪)
https://t.me/Sharee_Masail
શરઇ મસાઇલનો હલ ગૃપ
*ઝકાત કોના ઉપર ફર્ઝ છે..?* (૧)
✍️ એમ. વાય એ પટેલ
ઘણા લોકો ઝકાતના મસાઈલને લઈને મુંઝવણ અનુભવતા હોય છે કે ઝકાત કોની ઉપર, ક્યારે અને ક્યા માલમાં વાજીબ થાય છે. તે માટે નીચે આ વિશે વિસ્તારમાં સમજાવવાની કોશિશ કરું છું.
*ઝકાત ફર્ઝ‌‌‌ થવા માટે માણસમાં નીચેની શર્તોનું હોવું જરૂરી છે.*
(૧) મુસલમાન હોવું, (૨) આઝાદ હોવું, (ગુલામ–બાંદી પર ઝકાત ફર્ઝ નથી.) (૩) સમજદાર હોવું, (પાગલ પર ઝકાત ફર્ઝ નથી, જ્યારે કે પાગલપણું તેના પર લગાતાર છવાયેલું રહેતું હોય.) (૪) બાલિગ હોવું, (નાબાલિગ–બાળકના માલ પર ઝકાત ફર્ઝ નથી.) (૫) તેને ઝકાતના ફર્ઝ થવાનું જ્ઞાન હોવું. (ભલેને હુકમન્ જાણ હોય, જેમ કે ઇસ્લામી માહોલમાં વસવાટ કરતી વ્યક્તિ)
*ઝકાત ફર્ઝ થવા માટે માલમાં નીચેની શર્તો મોજૂદ હોવી જરૂરી છે.*
(૧) નિસાબ મુજબ માલ હોય, (અર્થાત સોનાનો નિસાબ ૮૭ ગ્રામ અને ૪૮૦ મિલીગ્રામ અને ચાંદીનો નિસાબ ૬૧ર ગ્રામ અને ૩૬૦ મિલીગ્રામ)
(૨) મિલ્કિયત–કબજો સંપૂર્ણ હોય, (એટલા માટે કે જે માલ પોતાના કબજામાં ન હોય, તે માલ પર તરત જ અથવા અત્યારે તેની ઉપર ઝકાત ફર્ઝ‌‌‌ નથી.)
(૩) નિસાબ અસલી જરૂરતોથી વધુ હોય, (વપરાશમાં આવતી સાધન–સામગ્રી પર ઝકાત નથી.)
(૪) નિસાબ કર્ઝ (દેવું)થી ખાલી હોય, (અર્થાત કર્ઝની રકમની બાદબાકી કર્યા પછી નિસાબ સંપૂર્ણ માનવામાં આવે.)
(૫) માલે નામી હોય, (વૃદ્ધિ પામતો માલ હોય). ક્રમશઃ
શરઈ મસાઈલ નો હલ ગૃપ
ઝકાત વિશે ઇસ્લામી માર્ગદર્શન (૨)
✍️ એમ.યાસીન એ. પટેલ
*સાહિબે નિસાબ (માલદાર) કોને કહેવાય?*
સૌથી પહેલા તો આ વાત સમજી લેવી જોઈએ કે ઝકાત ચાર વસ્તુઓ પર ફર્ઝ થાય છે. (૧) સોનું (૨) ચાંદી (૩) વેપારનો માલ (૪) રોકડ રકમ.
જો કોઈની પાસે ઉપરોક્ત વસ્તુઓમાંથી ફક્ત ૮૭ ગ્રામ અને ૪૮૦ મિલીગ્રામ સોનું હોય અને એના માથે કર્ઝ ન હોય તો એવા માણસ પર વર્ષ પુરું થતા ઝકાત ફર્ઝ થાય છે.
*મસ્અલહ્ :-* જો કોઈ માણસ પાસે ઉપરોક્ત વસ્તુઓમાંથી ૬૧૨ ગ્રામ અને ૩૬૦ મિલીગ્રામ ચાંદી હોય, અને એના માથે કર્ઝ ન હોય તો એવા માણસ પર ઝકાત ફર્ઝ છે.
*મસ્અલહ્ :-* જો કોઈ માણસ પાસે ઉપરોક્ત વસ્તુઓમાંથી ફક્ત વેપારનો માલ હોય અને તે માલની કિંમત ૬૧૨ ગ્રામ અને ૩૬૦ મિલીગ્રામ ચાંદીની કિંમત સુધી પહોંચી જાય અને એના માથે કર્ઝ ન હોય તો એવા માણસ પર ઝકાત ફર્ઝ છે.
*મસ્અલહ્ :-* જો કોઈ માણસ પાસે ઉપરોક્ત વસ્તુઓમાંથી કોઈ પણ એક વસ્તુ અથવા અમુક વસ્તુઓની માલિય્યત ૬૧૨ ગ્રામ અને ૩૬૦ મિલીગ્રામ ચાંદીની કિંમત સુધી પહોંચી જાય તો પણ ઝકાત ફર્ઝ થશે.
*મસ્અલહ્ :-* જો કોઈ માણસ પાસે દા.ત. રમઝાન મહિનાની દસમી તારીખે એટલો માલ છે કે તે માણસ સાહિબે નિસાબ બની જાય અને બીજા વર્ષે રમઝાન મહિનાની દસમી તારીખે પણ એટલો માલ છે કે તે માણસ સાહિબે નિસાબ એટલે કે એટલો માલ હોય કે ઝકાત ફર્ઝ થઈ જાય તો આવા માણસ પર ઝકાત ફર્ઝ થઈ જાય છે, હવે એ માણસ જોશે કે દસમા રોઝે એની મિલ્કતમાં કેટલો માલ છે. દા.ત. એની પાસે દસમા રોઝે એક તોલો સોનું છે,(એક તોલા સોનાની કીમત લગભગ ૧૪૫૦૦૦ છે) રોકડ રકમ પાંત્રીસ હઝાર છે ભલે ઘરે હોય અથવા બેંકમાં હોય અને વેપારનો માલ જેની વેચાણ કિંમત ત્રીસ હજાર રૂપિયા છે, તો કુલ માલિય્યત બે લાખ અને દસ હઝાર થઈ. હવે જોવામાં આવશે કે એના માથે કર્ઝ છે કે નહીં? દસ હઝાર રૂપિયા કર્ઝ છે તો કર્ઝ દસ હઝાર રૂપિયા બાદ કરતા બે લાખ રૂપિયા બાકી રહ્યા તો બે લાખ રૂપિયા પર ઝકાત ફર્ઝ થશે એટલે કે ચાલીસમો ભાગ ૫૦૦૦ રૂપિયા ઝકાત આપવી ફર્ઝ છે.
ઘણા લોકો એમ સમજે છે કે દરેક વસ્તુ દા.ત. રૂપિયા, વેપારનો માલ વગેરે દરેક વસ્તુ પર વર્ષ પુરું થવું જરૂરી છે આ વાત સહીહ નથી, બલ્કે નિસાબ પર વર્ષ પુરું થવું જરૂરી છે. દા.ત. કોઈ માણસ સાહિબે નિસાબ છે અને તેનો ઝકાત અદા કરવાનો દિવસ દસમો રોઝો છે અને તે માણસ પાસે બીજા રોઝે એક લાખ રૂપિયા આવ્યા તો જ્યારે દસમા રોઝે આ એક લાખ રૂપિયા તેની પાસે છે તો ઝકાત અદા કરવા માટે હિસાબ કરશે તો આ એક લાખ રૂપિયા પણ હિસાબમાં ગણવા પડશે, ભલે આઠ દિવસ જ થયા છે આ એક લાખ પર પણ ઝકાત ફર્ઝ થશે. ક્રમશઃ

શરઈ મસાઇલનો હલ ગૃપ
ઝકાત વિશે શરઈ માર્ગદર્શન (૩)
એમ. વાય એ પટેલ

*ઝકાતમાં વર્ષ પુરું થવામાં ઇસ્લામી વર્ષ નો એ'તેબાર છે.*
મસ્અલહ :- જો હોલસેલ વેપાર હોય તો ઝકાત અદા કરતી વખતે હોલસેલ કિંમતથી હિસાબ કરવામાં આવશે. અને જો રીટેલ વેપાર હોય તો રીટેલ કિંમતથી હિસાબ કરી ઝકાત અદા કરવામાં આવશે. અને જો કોઈ માણસ હોલસેલ અને રીટેલ બન્ને રીતે વેપાર કરતો હોય, તો રીટેલ કિંમતના આધારે ઝકાત અદા કરવી પડશે. એવી જ રીતે સોના અને ચાંદીમાં પણ માર્કેટ વેલ્યુ ના હિસાબે ઝકાત આપવી જોઈએ, જેમાં જરૂરતમંદ લોકોને વધુ ફાયદો છે.
*ઝકાતમાં કુલ માલનો ચાળીસમો ભાગ (અર્થાત અઢી ટકા) આપવો જરૂરી છે.*
આપણે ત્યાં સામાન્ય રીતે લોકો રમઝાનમાં ઝકાત અદા કરે છે, અને ઘણા લોકો તારીખનું કઇ ધ્યાન રાખતા નથી હાલાંકે ઇસ્લામી તારીખ અને મહીનો નક્કી કરી લેવો જ જોઈએ. તારીખ નક્કી ન કરવામાં ઘણી ખરાબીયો છે.
મસ્અલહ:- કર્ઝે હસનહ આપનાર માણસ માલદાર હોય તો કર્ઝ આપેલી રકમની ઝકાત તો દર વર્ષે ફર્ઝ થશે, પરંતુ તે રકમની ઝકાત કર્ઝ વસૂલ થતા પહેલાં આપવી જરૂરી નથી, એક સાથે બધી રકમ વસૂલ થાય તો બધી રકમની પાછલા બધા વર્ષોની ઝકાત આપવી પડશે, પરંતુ જો તે માણસ જ્યારે ઝકાત અદા કરતો હતો જો ત્યારે પણ ઝકાત આપી દેશે તો અદા થઇ જશે, કર્ઝ વસૂલ થયા પછી ઝકાત આપવી નહીં પડે.
મસ્અલહ :- આજકાલ વેપારી લોકો બેંકો પાસેથી લાંબી મુદ્દત માટે કર્ઝ–દેવું લે છે, અને આ રકમ ઘણી વધારે હોય છે કે જો આ પુરી રકમને (ઝકાતના નિસાબમાં) કર્ઝ પેટે ગણવામાં આવે તો આ લોકોનુ કર્ઝ ઝકાત પાત્ર માલથી વધી જાય અને એમના ઉપર ઝકાત ફર્ઝ જ ન થાય માટે એક વર્ષમાં જેટલા હપ્તા આપવાના હોય છે એને જ કર્ઝ ગણવામાં આવે અને એટલા હપ્તા જ બાદ કરવામાં આવે.


*શરઈ મસાઇલનો હલ ગૃપ*
*ઝકાત વિશે શરઈ માર્ગદર્શન (૪)*
*✍️ હઝ. મુફતી ઈસ્માઈલ હસન સા. (નાથા) આછોદી દા.બ.*

*મસ્અલહ :- કોઈની પાસે ત્રણ તોલા સોનુ હોય અને એની પાસે ફક્ત પાંચ રૂપિયા હોય તો (ઝકાત ફર્ઝ થવાની બીજી શર્તો સાથે)ઝકાત ફર્ઝ થશે, ત્રણ તોલા સોનુ અને પાંચ રૂપિયા મળી ચાંદીના નિસાબ સાડા બાવન તોલા ચાંદીની કીંમત સુધી પહોંચી જાય છે માટે ઝકાત ફર્ઝ થશે.*
*અમૂક લોકો એમ સમજે છે કે સાડા સાત તોલા સોનું હોય તો જ ઝકાત ફર્ઝ થાય છે આ ત્યારે છે જ્યારે ફક્ત સોનુ જ હોય - પાસે ચાંદી વેપારનો માલ કે રોકડ રકમ ન હોય (ફતાવા રહીમિય્યહ ૭/૧૫૫ (દારૂલ ઇશાઅત)*

*મસ્અલહ :- જો વિધવા ઓરત સાહિબે નિસાબ માલદાર હોય તો તેના પર ઝકાત ફર્ઝ છે આવી સાહિબે નિસાબ ઓરતને ફક્ત બેવા હોવાના લઇ ઝકાત આપી શકાય નહીં, આવી ઓરતે બીજાઓ પાસેથી ઝકાત લેવી હરામ છે, અને માલદાર માણસે તે ઓરતને ઝકાત આપવી જાઇઝ નથી, જાણ હોવા છતાં ઝકાત આપશે તો ઝકાત અદા થશે નહીં.*

*મસ્અલહ :- પૉલ્ટ્રી ફાર્મની જમીન અને ઇમારત વગેરેની કિંમત પર ઝકાત ફર્ઝ નથી અને તેમાં જે મરઘીઓ પાલવવામાં આવે છે તેના બે પ્રકાર છે : (૧) જો પૉલ્ટ્રી ફાર્મથી ઈંડાઓનો હેતુ છે અને તેના વડે આવક પ્રાપ્ત કરવામાં આવે છે, મરઘીઓ વેચાણ માટે નથી તો આવી શકલમાં મરઘીઓની કિંમત પર ઝકાત ફર્ઝ થતી નથી, બલકે ફકત ઈંડાઓ દ્વારા થતી આવક પર ઝકાત ફર્ઝ થશે. એવું સમજો કે મરઘીઓ માધ્યમ અને સાધનના હુકમમાં છે, (ર) અને જો મરઘી ફાર્મથી ફક્ત ઈંડાઓનો મકસદ નથી, બલકે ખુદ મરઘીઓ અને બચ્ચાંઓને વેચવાનો મકસદ છે, તો આવી સૂરતમાં તે મરઘીઓ અને બચ્ચાંઓની કિંમત પર નિયમાનુસાર ઝકાત ફર્ઝ થશે, કેમ કે તે વેપારનો માલ છે.*

*મસ્અલહ :- સખ્ત મજબૂરી વગર લાંચ (રિશ્વત) આપવી જાઇઝ નથી, ઝકાતની રકમ લાંચ (રિશ્વતમાં) આપવી જાઇઝ નથી બલ્કે સખ્ત ગુનેહગાર ઠરશે.* ક્રમશઃ
નોંધ: લેખક હઝ.મુફતી સા. દાબ. નો આ લેખ ઇસ્લામી માર્ગદર્શન માસિકમાં થી નકલ કરેલ છે.
શરઇ મસાઈલનો હલ ગૃપ
*ઝકાત વિશે શરઈ માર્ગદર્શન (૫)*
✍️ *હઝ.મુફતી ઈસ્માઈલ હસન (નાથા) આછોદી દા.બ.*

*મસ્અલહ:- ઘરેણાં અથવા બીજો કોઇ સામાન કર્ઝના બદલામાં માં ગીરો મૂક્યો હોય તો જ્યાં સુધી તે ગીરવી વસ્તુ રાખનારના કબજામાં રહેશે તેની ઝકાત ફર્ઝ નહીં થાય, ન ગીરવી મૂકનાર પર (કબજો ન હોવાના કારણે) અને ન ગીરવી રાખનાર પર (માલિકી ન હોવાના કારણે) અને ગીરવી મૂકનાર જો કર્ઝ અદા કરી તેને છોડાવી લે, તો પણ તેની પાછલાં વરસોની ઝકાત તેના પર ફર્ઝ નહીં થાય.*

*મસ્અલહ:- ઝકાતની નિય્યતથી હદિયો અથવા કર્ઝના નામે રૂપિયા આપે તો પણ ઝકાત અદા થઇ જશે, (અર્થાત ગરીબને આ બતાવવું જરૂરી નથી, કે આ ઝકાતની રકમ છે.બલ્કે અમૂક વખતે હદયાના નામથી આપવામાં સવાબ વધારે મળે છે.*

*મસ્અલહ:- સ્ત્રીને પોતાના બાપના ઘરેથી જે ઘરેણાં આપવામાં આવે છે, એની ઝકાત એ સ્ત્રીએ આપવી ફર્ઝ છે. અને સાસરેથી જે ઘરેણાં આપવામાં આવે છે, તો સાસરી પક્ષેથી ઘરેણાંની માલિક સ્ત્રીને બનાવી દે, તો ઝકાત સ્ત્રી પર ફર્ઝ થશે. અને જો માલિક બનાવી નથી, ફક્ત પહેરવા માટે આપ્યા છે, તો એની ઝકાત એના પતિ પર ફર્ઝ થશે.*

*મસ્અલહ:- જે ઘરેણાં સ્ત્રીની માલિકીના છે અને નિસાબ જેટલા છે, તો એની ઝકાત એ સ્ત્રી પર જ ફર્ઝ છે. જો પતિ પોતાની પત્ની તરફથી ઝકાત આપી દે અથવા પત્ની પતિ પાસેથી લઈને અદા કરે, અથવા પતિ એને જે કંઈ ખર્ચ આપે છે, એમાંથી બચાવીને ઝકાત આપી દે, તો જાઈઝ છે. અને જો એનાથી કોઈ રીતે અદા ન થાય, તો એ સોના-ચાંદીના ઘરેણાંમાંથી જેટલા ગ્રામ ઝકાત ફર્ઝ થતી હોય, એટલું ઘરેણું ઝકાતમાં આપવું પડશે.*

*મસ્અલહ:- જે કોઈ માલદાર માણસ કે જેના ઉપર ઝકાત ફર્ઝ છે, વર્ષ પુરૂ થાય તે પહેલાં ઝકાત આપી દે. અને વર્ષ પુરૂ થવાની રાહ જુએ નહીં તો એ પણ જાઈઝ છે. ઝકાત અદા થઈ જશે. તેમજ જો કોઈ માલદાર માણસ કેટલાક વર્ષની ઝકાત અગાઉથી આપી દે, તો પણ જાઇઝ છે. પરંતુ જો કોઈ વર્ષે માલ વધી ગયો, તો તે વધારાના માલની પણ ઝકાત આપવી પડશે.* ક્રમશઃ


*નોંધ : લેખક હઝ.મુફ્તી સા. દા.બ. નો આ લેખ ઇસ્લામી માર્ગદર્શન માસિકમાંથી નકલ કરેલ છે.*
*શરઈ મસાઇલનો હલ ગૃપ*
*ઝકાત વિશે ઈસ્લામી માર્ગદર્શન ૭
✍️ હઝરત મુફતી ઈસ્માઈલ હસન સા. નાથા આછોદી દા.બ.

મસ્અલહ :- મસ્અલો તો એ જ છે કે, જે માણસ મોહતાજ અને ગરીબ હોય એને ઝકાત આપવી જાઇઝ છે, પરંતુ આજકાલ ગરીબ છોકરીઓની શાદીના નામ પર કાયદેસર ચંદો કરવામાં આવે છે. આમ કરવામાં શરઈ રીતે એ ખરાબી આવી જાય છે કે, પહેલાં એક-બે સખીદાતાઓની મદદથી નિસાબ જેટલી રકમ જમા થઈ જાય છે, પરંતુ ન કરવાના આમ-તેમના રસ્મો રિવાજો અને લાંબીલચક દાવતો (શક્તિથી વધારે માણસોને ખાવા ખવડાવવા) માટે હજુ પણ લોકો સમક્ષ મદદ માટે સવાલ અને ચંદો ચાલુ જ રહે છે. તો એ વાત સારી રીતે જાણી લેવી જોઈએ કે, નિસાબ જેટલો માલ મળી ગયા પછી વધારાની ઝકાતની રકમ લેવી મકરૂહ છે અને આપવાવાળાને જો આ વાતની ખબર હોય તો તેના માટે ઝકાત આપવી પણ જાઇઝ નથી. તેમ છતાં કોઈ માણસે આ રીતે શાદી માટે પૈસાની માંગણી કરનારને આપ્યા વગર છૂટકો જ ન હોય તો ઝકાત સિવાયની લિલ્લાહ) રકમ આપીને મદદ કરે. એમાં જ સાવચેતી છે.
મસ્અલહ:- ઝકાતની રકમ અલગ કરીને મૂકી હતી અને હજુ કોઈ મોહતાજ માણસને આપી ન હતી, તો તે માણસને આ રકમમાં અદલ-બદલ કરવાનો અધિકાર છે. ચાહે તો આ રકમ પોતાની જરૂરતમાં ખર્ચીને એની જગ્યાએ એટલી જ બીજી રકમ આપી દે અથવા પોતાના ખિસ્સામાંથી ઝકાતની રકમ આપીને (અલગ ઝકાતની જે રકમ મૂકી છે) તેમાંથી લઈ લે.
**નોંધ : લેખક હઝ.મુફ્તી સા. દા.બ. નો આ લેખ ઇસ્લામી માર્ગદર્શન માસિકમાંથી નકલ કરેલ છે.*
*શરઈ મસાઇલનો હલ*