SMVS Bhale Dayalu
866 subscribers
1.49K photos
268 videos
29 files
1.84K links
Official Telegram Channel of SMVS Swaminarayan Sanstha
Download Telegram
કોરોના વાઈરસ માટે સમગ્ર SMVS સત્સંગ સમાજે અહીં આપવામાં આવેલ આદેશનું પાલન કરવું: https://www.smvs.org/cms/coronavirus-public-health-and-safety-announcement/


#CoronaVirus
#COVID19
#SMVSAnnouncement
ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીની સર્વે નાગરીકોને અપીલ: https://youtu.be/medGOMUcryc

👨‍👩‍👧‍👦 ભારતીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના આદેશ મુજબ તમામ નાગરીકોએ તારીખ 22 માર્ચ, 2020ના રોજ રવિવારે જનતા કરફ્યૂનું અચૂક પાલન કરવું. તેમજ જે લોકો છેલ્લા 2 મહિનાથી પોતાના જીવના જોખમે કોરોના વાઈરસની મહામારીથી અન્યને બચાવવા માટે મંડી પડ્યા છે તેમને ધન્યવાદ આપવા માટે તે જ દિવસે સાંજે 5:00 વાગ્યે પોતાના ઘરની બાલ્કનીમાં આવીને, બારીમાં રહીને કે ઓસરીમાં ઊભા રહીને - તાળી પાડીને, થાળી વગાડીને કે ઘંટડી વગાડીને તેમનો ઉત્સાહ વધારીએ... તેમજ સરકાર તરફથી જે કોઈ નિર્ણયો લેવામાં આવે તેનું પણ ફરજિયાતપણે પાલન કરવું...

📿 સાથે જ SMVS સમાજના તમામ સભ્યોએ દરરોજ સ્વામિનારાયણ મહામંત્રની 10 માળા અથવા પરિવારના સભ્યોએ ભેગા મળીને ઓછામાં ઓછી 15 મિનિટ ધૂન કરવી.

🌹 🌻 🌸 🌻 🌹

ℹ️ તીર્થધામ ગોધરમાં મોટી સંખ્યામાં હરિભક્તો અભિષેક કરવા આવતાં હોય છે. પરંતુ જાહેર સ્વાસ્થ્ય હિતને ધ્યાનમાં રાખી તારીખ 31 માર્ચ, 2020 સુધી અભિષેક બંધ રાખેલ છે. જેની સર્વે સમાજે નોંધ લેવા વિનંતી.


#CoronaVirus
#COVID19
#JantaCurfew



• • • • •
📽 પોતાના જીવનની પરવા કર્યા વિના કોરોના વાઈરસથી દેશની જનતાને સુરક્ષિત રાખવા ખડે પગે તત્પર એવા કર્તવ્યનિષ્ઠ સમાજસેવકોને અભિવાદન આપતાં ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી તથા પૂ.સંતો: https://youtu.be/nfkG4pN3m-M

#IndiaFightsCorona
#JantaCurfew
#COVID19



• • • • •
📿 કોરોના વાઈરસની મહામારીનો ફેલાવો થતો અટકાવવા માટે ભારત સરકારે આગામી 21 દિવસ સમગ્ર દેશમાં લોકડાઉનની જાહેરાત કરી છે. તો આવો, આ સમયનો આપણે સદુપયોગ કરીએ. ઘરે બેઠાં સત્સંગના માર્ગે આગળ વધીએ. તે માટે આગામી 21 દિવસ દરમ્યાન live.smvs.org પરથી નીચે જણાવ્યા મુજબ સવાર-સાંજ સત્સંગ સભાનો લાભ મળશે. જેનો સર્વે હરિભક્તોએ અચૂક લાભ લેવો.

🕙 દરરોજ સત્સંગ સભા: 10:00 AM થી 11:00 AM IST - ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી

🕣 દરરોજ ફેમિલી ટાઈમ: 08:30 PM થી 09:45 PM IST - ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી/પૂ.સંતો

🕣 અઠવાડિક સભા દર શનિવારે: 08:30 PM થી 10:00 PM IST - ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી/પૂ.સંતો

ℹ️ આ મુજબ તા. 26-03-2020 ગુરૂવારથી લાભ મળશે.


#SMVSAnnouncement
#SMVSLive
#OnlineSatsangSabha
#COVID19
📽 ભારતમાં કોરોના વાઈરસની બીજી લહેર અંગે ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો અગત્યનો સંદેશ: https://youtu.be/2feAM9Ngu10


#CoronaVirus
#COVID19
આવતીકાલે એકાદશી છે. કોરોના મહામારીનું સંક્રમણ વધવાથી મોટા ભાગના સ્થળોએ રાત્રિ કર્ફ્યુ લાગુ કરવામાં આવેલ છે. આથી, આગામી સૂચના ન મળે ત્યાં સુધી સંકલ્પ સભા તથા પૂનમ સમૈયાનો લાભ રાત્રે મળશે.

🌹 🌻 🌸 🌻 🌹

🎥 કોરોના મહામારીથી બચવા માટે વેક્સિન લેવાની પહેલ કરતાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી: https://youtu.be/nr6zkl2sg2Y


#Ekadashi #COVID19
#Coronavirus
#GetVaccinated



• • • • •
😷 કોરોના વાયરસની મહામારીથી બચવાના ઉપાયો અંગે બધા ખૂબ ચર્ચા કરી રહ્યા છે. પરંતુ કોરોનાના દર્દી માટે દવાની સાથે એક અતિ મહત્વની વાત પણ છે, જેની મોટાભાગના લોકોને ખબર હોતી નથી અને હોય તો તેને ધ્યાનમાં લેતા નથી - અવગણે છે.

📽️ ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી આ અતિ મહત્વની વાત ને ટૂંકમાં અને સરળતાથી સમજાવે છે. તો આવો, એ કઈ વાત છે તે સમજીએ અને બધા સુધી પહોંચાડીએ: https://youtu.be/UnFvbQug5hU


#CoronaVirus
#Covid19
#Samjan



• • • • •