સામાન્ય જ્ઞાન
1.49K subscribers
243 photos
1 video
7 files
593 links
સામાન્ય જ્ઞાન
Download Telegram
*🔥CURRENT🔥*

*🗞Date:-08/11/2019🗞👇🏻*

●એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા થયેલા કસ્ટમર સેટીસ્ફેક્શન સર્વેમાં વેસ્ટર્ન રિજીયનના 19 એરપોર્ટમાં કયું એરપોર્ટ પ્રથમ નંબરે આવ્યું
*વડોદરા*
*દેશમાં 48 એરપોર્ટમાં બીજા નંબરે*

●હાલ બંગાળના અખાતમાં ઉઠેલું વાવાઝોડું
*બુલબુલ*

●ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ અનુસાર દેશમાં સૌથી શ્રેષ્ઠ કાયદો-વ્યવસ્થામાં કયું રાજ્ય સૌથી બહેતર છે
*મહારાષ્ટ્ર*
*ઉત્તર પ્રદેશ સૌથી ખરાબ*
*નાના રાજ્યોમાં ગોવા સૌથી બહેતર અને ત્રિપુરા સૌથી ખરાબ*

●કયા દેશમાં ભીષણ દુકાળથી સેંકડો હાથીઓના મોત થયા
*ઝિમ્બાબ્વે*
*માના પુલ્સ નેશનલ પાર્ક અને બીજા જંગલી વિસ્તારોમાં*

●વન-ડે મેચમાં સૌથી ઝડપી 2000 રન કરનારી પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર કોણ બની
*સ્મૃતિ મંધાના*
*51 વન-ડે ઇનિંગ્સમાં*

●ટી-20 માં 2500+ રન કરનાર વિશ્વનો પ્રથમ ખેલાડી કોણ બન્યો
*ભારતનો રોહિત શર્મા*

*🗞👆🏾Newspaper Current🗞👇🏻*

https://t.me/jnrlgk

💥રણધીર💥
*~📚પ્રાચીન ભારત (ઈતિહાસ)📚~*

*લેખાંક-9*

*ઋગ્વૈદિક કાળ*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
●સાંખ્ય દર્શન લખનારકપિલ મુનિ

●યોગદર્શનમહર્ષિ પતંજલિ

●વૈશેષીક દર્શનકણ્વ

●ન્યાય દર્શનગૌતમ

● પૂર્વ મીમાંસાજૈમિની

●ઉત્તર મીમાંસાબદરાયણ

●કયો એકમાત્ર ધર્મ છે જેમાં નિરિશ્વરવાદને પણ સ્થાન આપવામાં આવ્યું છે
*હિંદુ*

●આધુનિક ભારતમાં સ્ત્રી વિરોધી અને જાતિવાદી વિચારોને લીધે કઈ સ્મૃતિની ભરપૂર ટીકા થઈ હતી
*મનુસ્મૃતિ*

●વૈદિક સાહિત્યમાં ભૌતિક જીવન કરતા કયા જીવનને વધારે મહત્વ આપવામાં આવ્યું છે
*આધ્યાત્મિક જીવનને*

●વૈદિક સાહિત્યની ભાષા કઈ હતી
*સંસ્કૃત*

●વૈદિક સાહિત્યનો રચના કાળ કયો ગણાય છે
*ઇ.પૂ.2500 થી ઇ.પૂ.1000*

●ઉત્તર વૈદિક કાળનો સમયગાળો
*ઇ.પૂ.1000 થી ઇ.પૂ.600*

●ઋગ્વૈદિક રાજયવ્યવસ્થા સમાજમાં કુંટુંબને અન્ય કયા નામે ઓળખવામાં આવતું
*કબીલો*

●ઋગ્વૈદિક કાળમાં અનેક કુંટુંબ ભેગા થાય ત્યારે એક ગ્રામ રચાતું.ગ્રામના વડાને શું કહેવામાં આવતું
*ગ્રામીણ*

●આ કાળમાં કેટલાય ગ્રામ ભેગા થાય ત્યારે શું બનતું
*વિસ*
*વિસનો વડો વિસપતિ કહેવાતો*

●અનેક વિસ મળીને ....... બનતું
*જન*
*જનનો વડો રાજન્ય કહેવાતો*

●ઋગ્વેદનું શાસન કેવું હતું
*રાજ તંત્રાત્મક*
*આ કાળમાં કેટલાક રાજ્યોમાં સમિતિ અને સભા દ્વારા રાજાને ચૂંટવામાં આવતો*

●રાજન્યનું મુખ્ય કામ શું હતું
*કબીલાવાસીઓની રક્ષા કરવાનું*

●રાજન્યના કેટલા પ્રધાન રહેતા અને કયા કયા
*ત્રણ*
*1.પુરોહિત, 2.સેનાની અને 3.પ્રામણી*

●પુરોહિતનું કામ શું હતું
*ધર્મગુરુ તરીકે કાર્ય કરતા અને રાજન્યનું માર્ગદર્શન કરતા*
*તેઓ મંત્રો તથા પ્રાર્થનાઓ દ્વારા રાજાને વિજય માટે સહાયક બનતા*

●સેનાનીનું કામ શું રહેતું
*સૈન્ય સંચાલન*
*ડિફેન્સ સેક્રેટરી કે ડિફેન્સ મિનિસ્ટર જેવું*

●પ્રામણીનું કામ શું હતું
*રાજ્ય વ્યવસ્થાપન*
*પ્રાઈમ મિનિસ્ટર અથવા પ્રિન્સિપાલ સેક્રેટરી જેવું*

●કુળના વડાને શુ કહેવામાં આવતું
*કુલપ*

●ગોચર ભૂમિના અધિકારીને શું કહેવામાં આવતા
*વ્રાજપતિ*

●ભારતમાં ઋગ્વૈદિક આર્યોની સફળતાનું મુખ્ય કારણ શું હતું
*ઘોડાથી ચાલતા રથ અને લોઢાના હથિયારો*

●ઋગ્વેદમાં કઈ કઈ સંસ્થાઓનો ઉલ્લેખ છે
*સભા,સમિતિ, ગણ અને વિદથ*

●ઋગ્વેદમાં જન શબ્દનો વિનિયોગ કેટલી વાર થયો છે
*275 વાર*
*પણ જનપદનો ઉલ્લેખ નથી*

●ઋગ્વેદમાં વિશ શબ્દનો ઉપયોગ કેટલી વખત થયો છે
*170*

●વૈશ્ય શબ્દ કયા શબ્દ પરથી આવ્યો
*વિશ્*

●બે ગ્રામ એકબીજા સાથે લડે તે ઘટના શુ કહેવાતી
*સંગ્રામ*

●પૂર્વ વૈદિક કાળમાં પરિવાર માટે કયા શબ્દનો ઉપયોગ થતો હોવાનું મનાય છે
*ગૃહ*

●ઋગ્વૈદિક કાળનું 13 ઓરડાવાળુ મકાન કયા સ્થળેથી મળી આવ્યું છે
*ઉત્તરાખંડના ભગવાનપુરમાં*

●વૈદિક યુગમાં કેટલી સ્ત્રીઓએ લખેલા સુક્ત મળી આવે છે
*20 સ્ત્રીઓએ*

●ઋગ્વૈદિક કાળમાં મનુષ્યો કેવા કપડાં પહેરતા
*સુતરાઉ*

●ઋગ્વૈદિક કાળમાં લોકો સોમ અને સુરા પીતાં. સોમ નશાકારક નહોતું.સુરા હતી. સુરા અનાજને સડાવીને બનાવાતી.

*👆🏾🗞ગુજરાત સમાચાર ન્યૂઝપેપરમાંથી🗞👆🏾*

*🔥Next પ્રાચીન ઈતિહાસ લેખાંક-10👇🏻*

https://t.me/jnrlgk

💥રણધીર💥
*~📚પ્રાચીન ભારત📚~*

*લેખાંક-10*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
●આર્ય સમાજમાં .............. ને અપરાધ માનવામાં આવતો હતો.
*સુરાપાન*
*સોમરસની ગણના સુટેવમાં થતી*

●ઋગ્વેદ કાળમાં ઔષધિ શાસ્ત્રના દેવતા કોણે માનવામાં આવતા
*અશ્વિન*
*અશ્વિની કુમાર એટલે દેવતાઓના ફિઝિશિયન*

●ઋગ્વેદ કાળમાં કઈ ત્રણ આશ્રમ વ્યવસ્થા હતી
*બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમ*

●ઋગ્વૈદિક કાળમાં મૃતકોના અગ્નિસંસ્કાર થતા.માત્ર .........ને દફન કરવામાં આવતી
*વિધવાઓ*

●બ્રાહ્મણ આદિપુરુષના મુખમાંથી, ક્ષત્રિય તેમની ભુજાઓમાંથી, વૈશ્ય તેમની જંઘામાંથી અને શુદ્રો તેમના પગમાંથી ઉત્પન્ન થયા છે.- આ વિધાન (શ્લોક) ઋગ્વેદના કયા સૂકતમાં છે
*પુરુષ સૂકતમાં*

●ઋગ્વૈદિક કાળમાં પુરોહિતોને દક્ષિણા રૂપે શુ આપવામાં આવતું
*દાસ અને દાસી*

●હડપ્પીય સંસ્કૃતિના કયા સ્થળેથી ચાસવાળી જમીન મળી આવી હતી
*કાલીબંગા(રાજસ્થાન સ્થિત સાઈટ)*

●ઋગ્વેદ કાળમાં ગાયને શુ કહેવાતું
*અઘન્યા*
*અર્થાત હણી ન શકાય એવી*

●ઋગ્વેદ કાળમાં વાસણો કેવા રંગના બનાવતા
*ધૂળિયા રંગના અને ઉપર ભાત કરેલા*

●ઋગ્વેદ કાળમાં રાજસ્થાનની કઈ ખાણમાંથી તાંબું પ્રાપ્ત કરાતું
*ખેતડીની*

●વેદ ...........માં લખાયેલા છે
*પદ્ય*

●ઋગ્વેદમાં કેટલા દેવતાઓની પ્રાર્થના કરવામાં આવી છે
*33*

●ઋગ્વૈદિક કાળમાં......
આકાશના સર્વશ્રેષ્ઠ દેવતાસૂર્ય
મધ્યસ્થાનના સર્વશ્રેષ્ઠ દેવતાવાયુ
પૃથ્વીના પ્રમુખ દેવતાઅગ્નિ
ઋગ્વેદના પ્રમુખ દેવતાઇન્દ્ર(આર્યોના યુદ્ધ નેતા)

●કયા દેવતાને દેવતાઓ અને મનુષ્યના મધ્યસ્થી ગણવામાં આવતા
*અગ્નિ*

●પૌરાણિક કથા અનુસાર કયા દેવતા અસુર બની ગયા હતા બાદમાં ઇન્દ્રએ તેમને ફરી દેવતા બનાવ્યા
*વરુણ*
*વૃત્રાસુરે વરુણને બંદી બનાવેલો*

●આર્યો ઉષા કાળનું પ્રતિનિધિત્વ કરતી કઈ દેવીઓની પૂજા કરતા
*ઉષસ્ અને અદિતિ*

*👆🏾🗞ગુજરાત સમાચાર ન્યૂઝપેપરમાંથી🗞👆🏾*

*👇🏻🔥Next પ્રાચીન ભારત લેખાંક-11👇🏻*

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥
*~📚પ્રાચીન ભારત📚~*

*લેખાંક-11*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
●યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, બ્રાહ્મણ ગ્રંથો એવં સૂત્ર ગ્રંથોની રચના કયા કાળમાં થઈ
*ઉત્તર વૈદિક કાળમાં*
*ઉત્તર વૈદિક કાલીન ગ્રંથો ગંગાની ઉત્તર ઘાટીમાં ઇ.પૂ.1000 થી 600 દરમિયાન લખાયા*

●વૈદિક કાળનું પંચાલ એટલે આજના કયા વિસ્તાર
*ફર્રુખાબાદ, બદાયૂ અને બરેલી જિલ્લા*
*હસ્તિનાપુર સાઈટ મેરઠ જિલ્લામાં આવેલી છે*

●મહાભારતનું યુદ્ધ ક્યારે લડાયું હતું
*ઇ.પૂ.950માં*

●કોશલ અને વિદેહમાં વૈદિક આર્યોના આગમન પહેલાથી રહેતા લોકો કઈ ધાતુના ઓજારનો ઉપયોગ કરતા હતા
*લાલ તાંબું*
*કાળા-લાલ રંગના માટીના વાસણોનો ઉપયોગ કરતા*

●વૈદિક કાળમાં કયો યજ્ઞ કરવાથી રાજાને દિવ્ય શક્તિ પ્રાપ્ત થતી હોવાનું માનવામાં આવે છે
*રાજસૂય*

●કયા યજ્ઞમાં સગોત્રીય બંધુઓ સાથે રથની દોડ થતી
*વાજપેય યજ્ઞ*

●વૈદિક કાળમાં રાજ્યને શું કહેવામાં આવતું
*જનપદ*

●કયા શબ્દનો પ્રથમ પ્રયોગ વૈદિક કાળમાં થયો
*રાષ્ટ્ર*

●વૈદિક કાળમાં રાજ્યના અમુક ભાગનું શાસન કોના હાથમાં રહેતું
*સ્થપતિ*

●આદિવાસીઓ પર શાસન કરનારા અધિકારીને શુ કહેવામાં આવતા
*નિષાદ સ્થપતિ*

●શતપતિના તાબામાં કેટલા ગામ રહેતા
*100*

●વૈદિક કાળમાં ગામડાના ન્યાયાધીશને શુ કહેવામાં આવતું
*ગ્રામ્યવાદિન*

●પહેલું એવું કયું યુદ્ધ હતું જે જમીનની પ્રાપ્તિ માટે લડવામાં આવેલું
*મહાભારત*

●ઉત્તર વૈદિક કાળના અંતિમ તબક્કાના આદિમ નગરો કોને કહી શકાય
*હસ્તિનાપુર અને કૌશાંમ્બિ*

●મનુને કેટલી પત્ની હતી
*10*

●ગાર્ગી અને મૈત્રીયી જેવી વિદુષીઓ કયા કાળમાં થઈ ગઈ
*ઉત્તર વૈદિક કાળમાં*

●વૈદિક કાળના ચાર વર્ણો ચાર જાતિમાં ફેરવાઈ ગયા હતા અને એ સિવાયની કઈ બે જાતિઓ અસ્તિત્વમાં આવી ચૂકી હતી
*નિષાદ અને વ્રાત્ય*

*👆🏾🗞ગુજરાત સમાચાર ન્યૂઝપેપરમાંથી🗞👆🏾*

*👇🏻🔥પ્રાચીન ભારત લેખાંક-12 next👇🏻*

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥
*🔥રૂઢિપ્રયોગ🔥*
""""""""""""""""""""""""""""""""""""""""""""""""""
📝નસેનસમાં ઊતરી જવુંજીવનમાં વણાઈ જવું

📝પુરાણ નીકળવુંએક વાતના સંદર્ભમાં બીજી વાતો નીકળવી

📝આંખ ફાટી જવીઅવાચક બની જોઈ રહેવું

📝આકુળવ્યાકુળ થવુંખૂબ ગભરાઈ જવું

📝પોબારા ગણી જવુંનાસી જવું

📝પાશેરામાં પહેલી પૂણીતદ્દન શરૂઆત

📝શ્રાવણ ભાદરવો વહેવોચોધાર આંસુ વહેવા

📝પ્રાણ નિચોવવાખૂબ પરિશ્રમ કરવો

📝ધનોત-પનોત નીકળી જવુંસર્વસ્વ નાશ પામવું

📝મોઢાં ચડી જવારિસાઈ જવું

📝 હ્યદયનો કુચો કરી નાખવોલાગણીઓ કચડી નાખવી

📝છેલ્લે પાટલે બેસવુંઆત્યંતિક નિર્ણય લેવો

📝દોમ દોમ સાહ્યબી હોવીઅતિશય સાધન સંપન્ન હોવું

https://t.me/jnrlgk

💥રણધીર💥
*~📚પ્રાચીન ભારત📚~*

*લેખાંક-12*

*📝ઉત્તર વૈદિક કાળ📝*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
●ઋગ્વૈદિક કાળમાં માત્ર ત્રણ આશ્રમ હતા.ઉત્તર વૈદિક કાળમાં કયો ચોથો આશ્રમ ઉમેરાયો
*સંન્યાસાશ્રમ*

●ઉત્તર વૈદિક કાળમાં તાંબાને શું કહેવાતું
*લાલ-અયસ*
*લોઢાને કૃષ્ણ-અયસ કહેવાતું*

●ઉત્તર વૈદિક કાળનું વિદેહ એટલે આજનો કયો વિસ્તાર
*બિહાર*

●ઋગ્વૈદિક કાળમાં વૈશ્ય શું કામ કરતા
*કૃષિ, પશુપાલન અને શિલ્પકારી*

●વૈદિક કાળમાં હળ સાથે કેટલા બળદ જોતરવામાં આવતા
*6-8, 12 અથવા 24*

●ચોખાને વૈદિક ગ્રંથોમાં શુ કહેવામાં આવ્યું છે
*વ્રિહી*

●કઈ સાઈટ ખાતેથી ઇ.પૂ.આઠમી સદીના ચોખાના અવશેષ મળી આવ્યા છે
*હસ્તિનાપુર*

●ઉત્તર વૈદિક કાળમાં ધનવાન વેપારીઓને શુ કહેવામાં આવતું
*શ્રેષ્ઠી*

●કિરાંત એ શું છે
*હિમાલયમાં વસતી એક જંગલી જાતિ*

●ઉત્તર વૈદિક કાળમાં કયા નામની કરન્સીનો ઉપયોગ થતો
*નિષ્ક, શતમાન અને કૃષ્ણાલ*

●બીજાને ત્યાં હળ જોતરનારને શું કહેવામાં આવતું
*હલવાહ*

●મહાભારત મહાકાવ્યનું લેખન કઈ સદીમાં થયું હોવાનું માનવામાં આવે છે
*ચોથી સદીમાં*

●ઉત્તર વૈદિક કાળમાં બ્રાહ્મણોને શું કહેવામાં આવતું
*ભૂ-સુર અથવા ભૂ-દેવ*

●ઉત્તર વૈદિક કાળમાં રાજસૂય યજ્ઞ કરાવનાર પુરોહિતોને કેટલી ગાયો દાનમાં અપાતી
*2,40,000(બે લાખ ચાળીસ હજાર)*

●કયા બ્રાહ્મણ લેખમાં ઉલ્લેખ છે કે અશ્વમેઘ યજ્ઞમાં પુરોહિતોને ચારે દિશાઓનું દાન આપવું જોઈએ
*શતપથ*

●ઉત્તર વૈદિક કાળનું પંચાલ એટલે આજનું....
*વિંધ્યાચળ અને હિમાલય વચ્ચેનો પ્રદેશ*

●ઉત્તર વૈદિક કાળમાં લોકો વાસુદેવને પૂજતા, વાસુદેવ એટલે ....
*વિષ્ણુ*

●ગૌરક્ષા કરતા દેવતા
*પૂષન*

●ઉત્તર વૈદિક કાળમાં............
*મૂર્તિપૂજાનો આરંભ થયો*

●સિંધુ ઘાટી સભ્યતા અને વૈદિક સભ્યતા વચ્ચે કેટલા વર્ષનું અંતર છે
*2000 વર્ષ*

●અથર્વવેદની રચના કયા કાળમાં થઈ હોવાનું મનાય છે
*ઉત્તર વૈદિક કાળમાં*

*👆🏾🗞ગુજરાત સમાચાર ન્યૂઝપેપરમાંથી🗞👆🏾*

*👇🏻🔥પ્રાચીન ભારત લેખાંક-13👇🏻*

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥
*~📚પ્રાચીન ભારત📚~*

*લેખાંક-13*

*16 મહાજન પદ*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

વૈદિક કાળમાં આર્યો માંસ ખાતા,
ઉત્તર વૈદિક કાળમાં તેના પ્રત્યે અરુચિ સેવવાનો પ્રારંભ થયો

ઇ. પૂ. છઠ્ઠી સદીથી ઇ.પૂ. ચોથી સદી સુધી ભારતમાં રચાયેલા ૧૬ મહાજનપદ વિશે જાણો

ગત લેખના છેલ્લા ભાગમાં આપણે આર્યો અને સૈંધવો (સિંધુ ખીણ સભ્યતાના લોકો) વચ્ચે તુલના કરી રહ્યા હતા તેને જ આગળ વધારીએ. સિંધુ ખીણના લોકો શસ્ત્રો ચલાવવામાં માહેર નહોતા. તેઓ આર્યોની જેમ કવચ અને શિરસ્ત્રાણનો ઉપયોગ નહોતા કરતા.  સિંધુ સભ્યતાના નિવાસીઓનો મુખ્ય આહાર હતો માંસ અને માછલી. આર્યો પણ માંસ ભક્ષણ કરતા, પરંતુ ઉત્તર વૈદિક કાળમાં માંસ ભક્ષણ પ્રત્યે સૂગ સેવાવાનો પ્રારંભ થયો.

સૈંધવો વાઘ અને હાથીથી સુપેરે પરિચિત હતા, પણ ઊંટ અને ઘોડા વિશે અજ્ઞાાત હતા. સુરકોટડા સાઇટ ખાતેથી ઘોડાના અવશેષો મળી આવ્યા છે. આથી એવું તારણ નીકળે છે કે ઉત્તર વૈદિક કાળમાં અમુક સૈંધવોને ઘોડાનો પરિચય થયો હતો. તેઓ આખલાને ગાયથી પણ વધારે મહત્ત્વ આપતા હતા. વૈદિક આર્યો હાથી અને વાઘથી અપરિચિત હતા. વૈદિક આર્યો ઘોડા પાળતા. તેને રથમા જોતરતા. રણક્ષેત્રમાં તેનો ઉપયોગ કરતા. ગાયની મહત્તા આર્યોથી શરૂ થઈ.

સૈંધવો શિવ અને શક્તિની પૂજા કરતા. તેઓ મૂર્તિ પૂજક હતા. લિંગ પૂજા કરતા. અગ્નિને મહત્ત્વ ન આપતા. ઋગ્વૈદિક આર્યો મૂર્તિ પૂજક નહોતા. શિવપૂજા અને લિંગપૂજા પણ ન કરતા. તેઓ બ્રહ્મ અને અગ્નિને પૂજતા. દરેક ઘરમાં અગ્નિશાળા રહેતી. સિંધુ ઘાટીના લોકો લેખન કળાથી પરિચિત હતા. તેમની લિપિ હજુ ઉકેલી શકાઈ નથી, પરંતુ તે ચિત્રલિપિ હોવાનું અનુમાન છે. કવિતામાં વૈદિક આર્યો સૈંધવો કરતા વધારે આગળ હતા.

આર્યો યુરોપથી આવ્યા હોવા જોઈએ, મધ્ય એશિયા એટલે કે ઈરાનથી આવ્યા હોવા જોઈએ અથવા ઉત્તર ધુ્રવથી આવ્યા હોવા જોઈએ એવી ત્રણ થીઅરી અગાઉના નેટવર્કમાં આપણે પ્રસ્તુત કરી ચૂક્યા છીએ, પણ ચોથો તજજ્ઞા વર્ગ એવું માને છે કે આર્યો મૂળ ભારતના જ હતા. તેમણે સૈંધવો પર આક્રમણ કર્યું નહોતું. સિંધુ સભ્યતા ખતમ થઈ ત્યાર પછી ત્યાં આર્ય સભ્યતા વિકસી. તેમની દલીલ સ્વીકારવી કે ન સ્વીકારવી એ પછીની વાત છે, પણ સાંભળવી તો પડે જ.

તેઓ દલીલ કરે છે કે ભારતમાં લોખંડ લાલવાનું કામ આર્યોએ કર્યું હોય અને એ જ આર્યોએ સૈંધવો પર હુમલો કર્યો હોય તો સિંધુ ખીણની એકેય સાઇટ પરથી લોખંડના ઓજારો કેમ નથી મળતા? ભારતમાં લોખંડ આર્યોએ ઇન્ટ્રોડયુસ કર્યું હોવાનું પણ ખોટું માનવામાં આવે છે. કારણ કે એ સમયમાં લોખંડનો ઉપયોગ કરતી વધારે વસ્તી દક્ષિણ ભારતમાં હતી. આર્યો લોખંડ કરતા વધારે તાંબા અને કાંસાનો ઉપયોગ કરતા.

બ્રિટિશરો બહારથી આવેલા હતા. પોતાના આક્રમણને જસ્ટિફાઈ કરવા માટે તેમણે આર્યો બહારથી આવ્યા હોવાની સ્ટોરી ઘડી હોવાનું પણ મનાય છે. જો એવું હોય તો ભારત કરતા વધુ આર્યો આજે યુરોપમાં શા માટે વસી રહ્યા છે? હજુ ઘણા રીસર્ચની જરૂર છે. એક પ્રાચીન નદી હતી સરસ્વતી. જે લુપ્ત થઈ ચૂકી છે. તેણે માર્ગ બદલતા સિંધુ કાલીન સભ્યતા નષ્ટ થઈ હોવાનું પણ ઘણા ઈતિહાસકારો કહે છે.

સિંધુ કાલીન સભ્યતાની મોટા ભાગની વસાહતો સરસ્વતી નદીને કિનારે વસેલી હતી. આથી એ સભ્યતાને સરસ્વતી કાલીન સભ્યતા કહેવી જોઈએ એવો પણ કેટલાક ઈતિહાસકારોનો મત છે. ગમે તે હોય, કિન્તુ એક વાત તો સ્પષ્ટ છે કે સિંધુ ખીણની સભ્યતા અને આર્ય સભ્યતા વચ્ચે ૨,૦૦૦ વર્ષનું અંતર હતું. સૈંધવ સભ્યતા કાયમ માટે પોઢી ગઈ. વૈદિક સભ્યતા આજે પણ કોઈને કોઈ સ્વરૂપે જીવંત છે.

અહીંથી વાત આગળ જાય છે જનપદના ઉદય તરફ. જનપદ એક મોટું રાજ્ય રહેતું. ત્યાં રાજાનું શાસન રહેતું. ઇ. પૂ. છઠ્ઠી શતાબ્દીમાં જનપદનો આકાર મોટો થયો અને તે મહાજનપદમાં ફેરવાયા. મોટા ભાગના મહાજનપદ વિંધ્યની ઉત્તરમાં સ્થિત હતા. તે ભારતની ઉત્તર પશ્ચિમી સીમાથી લઈને પૂર્વમાં બિહાર સુધી ફેલાયેલા હતા. સૌથી પૂર્વમાં અંગ જનપદ હતું, જે બાદમાં મગધમાં સમાઈ ગયું. 

મહાત્મા બુદ્ધના જીવનકાળ દરમિયાન ભારતમાં ૧૬ મહાજનપદ હતા. તેના નામ આ પ્રમાણે હતા. ૧) અંગ, ૨) મગધ, ૩) કાશી, ૪) કોસલ, ૫) વજ્જિ, ૬) મલ્લ, ૭) ચેદિ, ૮) વત્સ, ૯) કુરુ, ૧૦) પંચાલ, ૧૧) મત્સ્ય, ૧૨) સુરસેન, ૧૩) અશ્મક, ૧૪) અવન્તિ, ૧૫) ગાંધાર, ૧૬) કામ્બોજ. પુરાણોમાંથી પણ ક્યાંક-ક્યાંકથી જનપદનો ઈતિહાસ મળી આવે છે, પણ ક્રમબદ્ધ નથી. વળી, ઘણી બધી માહિતીઓ તો વિરોધાભાસી છે.

ખાલી મહાજનપદ જ હતા એવું નથી. તદુપરાંત પણ નાના-નાના સ્વતંત્ર અને અર્ધ-સ્વતંત્ર રાજ્યો તથા ગણરાજ્યો હતા, જે અંદરો-અંદર યુદ્ધ કરતા રહેતા. ભારતમાં મહાજનપદ ઇ.પૂ. છઠ્ઠી સદીથી ચોથી સદી સુધી અસ્તિત્ત્વમાં રહ્યા. જે ૧૬ મહાજનપદ ઈતિહાસમાં ખ્યાત થયા છે તેના વિશે કેટલીક ટૂંક વિગત.

*૧) અંગઃ* અંગ અને મગધ વચ્ચે ચંપા નદી વહેતી હતી. અંગની રાજધાની ચંપા પણ ચંપા નદીના કિનારે સ્થિત હતી. ચંપાની ગણના બુદ્ધના સમયના છ મોટા નગરોમાં થતી. મહાભારતની કથામાં અંગના રાજા કર્ણ હતા.  

*૨) મગધઃ* મગધમાં આધુનિક પટના તથા ગયા જિલ્લાના તથા શાહબાદ જિલ્લાના કેટલાક ગામડાં સ
  કાશ્મીર અને પશ્ચિમોત્તર પ્રદેશ સમાવિષ્ટ હતા.  તક્ષશીલા આજે પાકિસ્તાનમાં છે. બુદ્ધના વખતમાં પુમકુસાતી ગાંધારના રાજા હતા. ગાંધાર સ્કૂલ ઑફ આર્ટ એક આખો અલગ અને ઊંડો વિષય છે.

*૧૬) કામ્બોજઃ* તે ગાંધારના પડોશમાં હતું. હાટક તેની રાજધાની હતી. થોડા સમય પશ્ચાત ત્યાં પણ ગણતંત્રની સ્થાપના થયેલી. 

તો આ હતા. આપણા ૧૬ મહાજનપદ.

*👆🏾🗞ગુજરાત સમાચાર ન્યૂઝપેપરમાંથી🗞👆🏾*
માવિષ્ટ હતા. બુદ્ધના સમય પહેલા ત્યાં જરાસંઘ અને બૃહદ્રથ નામના પ્રસિદ્ધ રાજા થઈ ગયા. આરંભમાં મગધની રાજધાની ગિરિવ્રજ હતી. તે બાદમાં પાટલીપુત્ર બનાવી દેવામાં આવી.

*૩) કાશીઃ* વૈશાલીની સમીપે કાશી જનપદ હતું. તેની રાજધાની હતી વારાણસી. રાજઘાટ પાસે ખનન કરવામાં આવતા જાણવા મળ્યું કે ઈ.પૂ. ૭૦૦માં લોકોએ કાશીની ભૂમિ પર વસવાટ શરૂ કર્યો. ઇ.પૂ. છઠ્ઠી સદીમાં વારાણસી નગરને માટીની દીવાલોથી કિલ્લેબંધ કરવામાં આવ્યું હતું. આરંભમાં કાશી સૌથી શક્તિશાળી મહાજનપદ હતું. બાદમાં તેણે કોસલની શક્તિ સામે શરણાગતિ સ્વીકારી લીધી.

*૫) વજ્જિ સંઘઃ* ગંગાની ઉત્તર બાજુએ તિરહુત વિસ્તારમાં વજ્જિઓનું રાજ્ય હતું. તે આઠ જનોનો સમૂહ હતો. તેમાં લિચ્છવિ સર્વાધિક શક્તિશાળી હતા. તેની રાજધાની વૈશાલી હતી. ઇતિહાસ કાલીન વૈશાલી એટલે વર્તમાન વૈશાલી જિલ્લામાં આવેલું બસાઢ ગામ. પુરાણમાં તેને અતિ પ્રાચીન નગર ગણવામાં આવ્યું છે, પરંતુ પુરાતત્ત્વવિદ્દો તે ઈ.પૂ. છઠ્ઠી  સદી પહેલા અસ્તિત્ત્વમાં ન હોવાનું કહે છે. વૈશાલીની નગરવધુ આમ્રપાલીની કથા પણ એટલી જ જાણીતી છે.

*૬) મલ્લઃ* કોસલના પડોશમાં મલ્લોનું ગણરાજ્ય હતું. તેની સીમા વજ્જિ રાજ્યની ઉત્તરી સીમા સાથે જોડાયેલી હતી. મલ્લોની રાજધાની હતી કુસીનારા. કુસીનારા એટલે એ જગ્યા જ્યાં બુદ્ધનું મહાપરિનિર્વાણ થયું હતું. કુસીનારા એટલે વર્તમાન સમયનું કસિયા. મલ્લ ગણરાજ્યની બીજી રાજધાની હતી પાવા.

*૭) ચેદિઃ* આધુનિક બુંદેલખંડ અને તેની આસપાસનો પ્રદેશ એક સમયે ચેદિ મહાજનપદ કહેવાતું. તેની રાજધાની હતી શક્તિમતી. જાતક કથાઓમાં જે સોત્થવતી નગરી આવે છે તે આ જ. ચેદિ રાજ્યનો મહાભારતમાં પણ ઉલ્લેખ છે. શિશુપાળ ચેદિનો જ રાજા હતો. કૃષ્ણે તેનો વધ કરેલો-ની કથા અજાણી નથી.

*૮) વત્સઃ* પશ્ચિમ તરફ યમુનાના તટ પર વત્સ જનપદ હતું. તેની રાજધાની કોશામ્બી હતી. વત્સના નિવાસીઓ એ જ કુરુજન હતા, જે હસ્તિનાપુર છોડીને પ્રયાગ સમીપે કોશામ્બીમાં જઈને વસ્યા હતા. તે ગંગા-યમુનાની નિકટ હતું. એટલે જ કુરુજનો ત્યાં વસ્યા હતા. ઇ.પૂ. છઠ્ઠી સદીમાં કોશામ્બીને મજબૂત કિલ્લેબંધી કરવામાં આવી હતી.

*૯) કુરુઃ* વર્તમાન દિલ્હી તથા મેરઠની આસપાસના પ્રદેશ કુરુરાજ્ય અંતર્ગત આવતા હતા. તેની રાજધાની હતી ઇન્દ્રપ્રસ્થ. મહમૂતસોમ જાતક પ્રમાણે તે રાજ્યમાં ૩૦૦ સંઘ હતા. પાલી ગ્રંથો પ્રમામે ત્યાંના શાસક યુધિષ્ઠિતા ગોત્રના હતા. ભારત કરતા અધિક માત્રામાં પ્રાચીન પાલી ગ્રંથો ચીને સાચવ્યા છે. તેના પર ગહન સંશોધન પણ ત્યાં જ થઈ રહ્યું છે. ઇન્દ્રપ્રસ્થ બાદ ત્યાંનું બીજું મહત્ત્વનું નગર હતું હસ્તિનિપુર. એવું કહેવાય છે કે મહાભારત વખતે જે નગરનું નામ હસ્તિનાપુર હતું તે જ વખત જતા હસ્તિનિપુર બની ગયું.

જૈનોના ઉત્તરાધ્યયન સૂત્રમાં ઇક્ષ્વાકુ નામના રાજાનો ઉલ્લેખ મળે છે. તે કુરુ મહાજનપદના રાજા હતા. અમિશની નવલકથા સાયન ઑફ ઇક્ષ્વાકુ યાદ આવી જાય. આ રાજ્ય પહેલા રાજતંત્રાત્મક હતું. બાદમાં ત્યાં ગણતંત્રની સ્થાપના થયેલી. લોકતંત્ર અને ગણતંત્રને મિક્સ ન કરી નાખતા. ગણતંત્ર એટલે જનતામાંથી લાયક વ્યક્તિ રાજા બને. ન કે જનતા દ્વારા ચૂંટવામાં આવતી વ્યક્તિ રાજા બને. ચીન તેનું બેસ્ટ ઉદાહરણ છે.

*૧૦) પાંચાલઃ* વર્તમાન રુહેલ ખંડ તથા તેની આસપાસના જિલ્લા પાંચાલ પ્રદેશમાં આવતા હતા. તે બે ભાગમાં વિભાજિત હતું. ઉત્તર પાંચાલની રાજધાની અહિચ્છત્ર હતી. દક્ષિણ પાંચાલની રાજધાની કામ્પિલ્ય હતી.

*૧૧)મત્સ્યઃ* તેની રાજધાની હતી વિરાટનગર. તે યમુનાની પશ્ચિમ તથા કુરુ પ્રદેશની દક્ષિણમાં આવેલું હતું. પહેલા તો ચેદિ રાજ્યે મત્સ્ય પર પોતાનું આધિપત્ય સ્થાપવાની કોશિશ કરી. બાદમાં તે મગધને આધીન થઈ ગયું.

*૧૨) સૂરસેનઃ* સૂરસેન યમુના કિનારે હતું. મથુરા તેની રાજધાની હતી. બુદ્ધના સમયમાં અવન્તિપુત્ર મથુરાના રાજા હતા. તે પહેલા ગણતંત્ર રાજ્ય હતું. બાદમાં ત્યાં રાજ્યતંત્રની સ્થાપના થઈ. ગ્રીક પ્રવાસી મેગસ્થનીઝના ભારત આગમન સુધી તો સૂરસેન વંશના રાજાઓ શાંતિથી શાસન કરતા હતા. તેણે ઈ.પૂ. ૩૦૨થી ૨૮૮ દરમિયાન ભારતની મુલાકાત લીધી હતી.

*૧૩) અશ્મકઃ* દક્ષિણ ભારતની પ્રમુખ નદી ગોદાવરીના તટ પર અશ્મક રાજ્ય આવેલું હતું. એ સમયે તે ભારતનું પ્રમુખ રાજ્ય હતું. પોતન તેની રાજધાની હતી. પુરાણો પ્રમાણે ત્યાંના રાજા ઇક્ષ્વાકુ વંશના હતા. જાતક કથા પ્રમાણે  આ રાજ્ય કાશી નજીક હતું. (પ્રાચીન ગ્રંથોમાં ઘણી બધી જગ્યાએ ફેક્ટ અને ફિક્શનનું મિશ્રણ થતું હોવાથી એકને એક રાજ્યની એકથી વધારે અને વિરોધાભાસી વિગતો મળે છે.)

*૧૪) અવન્તિઃ* મધ્ય માળવા અને મધ્ય પ્રદેશના સીમાવર્તી વિસ્તારમાં અવન્તિ નગર સ્થિત હતું. તેના બે ભાગ હતા. ઉત્તર ભાગની રાજધાની ઉજ્જૈન હતી અને દક્ષિણ ભાગની રાજધાની હતી, મહિષ્મતી. બાહુબલી યાદ આવી ગયુંને!  પુરાતત્ત્વીય સંશોધનોમાં જાણકારી મળી આવી છે કે ઇ.પૂ. છઠ્ઠી સદી બાદ બંને નગરનું મહત્ત્વ વધતું ગયું. અંતે ઉજ્જૈન આગળ નીકળી ગયું. ત્યાં મોટાપાયે લોઢાકામ થવા લાગ્યું અને તેની ફરતે મજબૂત કિલ્લેબંધી થઈ.

*૧૫) ગાંધારઃ* ગાંધાર રાજ્યમાં તક્ષશિલા,
  કાશ્મીર અને પશ્ચિમોત્તર પ્રદેશ સમાવિષ્ટ હતા.  તક્ષશીલા આજે પાકિસ્તાનમાં છે. બુદ્ધના વખતમાં પુમકુસાતી ગાંધારના રાજા હતા. ગાંધાર સ્કૂલ ઑફ આર્ટ એક આખો અલગ અને ઊંડો વિષય છે.

*૧૬) કામ્બોજઃ* તે ગાંધારના પડોશમાં હતું. હાટક તેની રાજધાની હતી. થોડા સમય પશ્ચાત ત્યાં પણ ગણતંત્રની સ્થાપના થયેલી. 

તો આ હતા. આપણા ૧૬ મહાજનપદ.

*👆🏾🗞ગુજરાત સમાચાર ન્યૂઝપેપરમાંથી🗞👆🏾*
*~📚પ્રાચીન ભારત📚~*

*લેખાંક-14*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

●અશોકે કયો ધર્મ અંગીકાર કરેલો
*બૌદ્ધ ધર્મ*

●ચંદ્રગુપ્ત મૌર્યે કયો ધર્મ અંગીકાર કર્યો હતો
*જૈન*

●ઈતિહાસકારોના મત પ્રમાણે મગધ સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી
*હર્યક વંશના રાજા બિંબિસારે*

●હર્યક વંશના ત્રણ પ્રમુખ રાજા
*બિંબિસાર, અજાતશત્રુ અને ઉદાયિન*

●કયા રાજાના શાસનકાળમાં મગધની ખૂબ ઉન્નતિ થઈ
*બિંબિસાર*

●બિંબિસાર ................ ના સમકાલીન હતા
*મહાત્મા બુદ્ધ*

●બિંબિસારે .............. નીતિ અપનાવી
*વિસ્તારવાદી*

●બિંબિસારે કયા દેશ પર કબજો જમાવી તેનું શાસન અજાતશત્રુને સોંપ્યું
*અંગ દેશ*

●બિંબિસારે ત્રણ લગ્ન કર્યા હતા. તેમની પત્નીઓ કઈ કઈ હતી
*1. પ્રથમ પત્ની કોસલના રાજાની પુત્રી અને પ્રસેનજિતની બહેન કોસલ દેવી હતી(આ પત્ની દહેજમાં કાશી નગરી લાવી હતી)*
*2. બીજી પત્ની વૈશાલીના લીચ્છવીઓની પુત્રી ચલ્હના હતી*
* 3. ત્રીજી રાણી પંજાબના મુદ્ર કુળના વડાની દીકરી હતી*

●મગધની કટ્ટર શત્રુતા કોની સાથે હતી
*અવન્તિ(તેનો રાજા ચંડપ્રદ્યોત હતો)*

●બિંબિસારનો પોતાનો રાજવૈદ્ય કોણ હતો
*જીવક*

●બિંબિસારે કેટલો સમય શાસન કર્યું
*ઇ.પૂ. 544 થી ઇ.પૂ.492 સુધી*

●બિંબિસારની હત્યા થતા કોણ રાજા બન્યો
*તેમનો પુત્ર અજાતશત્રુ (અજાતશત્રુએ જ હત્યા કરાવી હતી)*

●અજાતશત્રુ બાદ સત્તામાં કોણ આવ્યો
*તેનો પુત્ર ઉદાયિન*

●ઉદાયિને કયા સંગમ પર દુર્ગ બનાવ્યો હતો
*પટના, ગંગા અને સોન*

●કયા રાજાએ અવન્તિને હરાવી મગધનો ભાગ બનાવી દીધું
*શિશુનાગ*

●શિશુનાગ કયા શાસકને હરાવી રાજા બન્યો હતો
*નાગદાસક*

●શિશુનાગ બાદ કોણ રાજા બન્યો
*કાલાશોક*

●કાલાશોકની હત્યા કેવી રીતે થઈ હતી
*ગળામાં છરી મારીને*

●શિશુનાગ બાદ કયા વંશનું શાસન આવ્યું
*નંદ વંશ*

●નંદ વંશનો પ્રથમ રાજા કોણ હતો
*મહાપદ્મ*

●ઈતિહાસકારોના મત પ્રમાણે મહાપદ્મની માતા ............ હતી
*શુદ્ર*

●જૈનગ્રંથ પરિશિષ્ટપર્વન્ પ્રમાણે મહાપદ્મના પિતા ............. અને માતા .......... હતા
*પિતા વાળંદ અને માતા વેશ્યા*

●ઈતિહાસકાર કર્ટીયસ પ્રમાણે મહાપદ્મએ કોની હત્યા કરી હતી
*કાલાશોકની*

●મહાબોધિ વંશમાં મહાપદ્મ નંદને કયા નામે ઓળખવામાં આવે છે
*ઉગ્રસેન*

●ભારતમાં સૌપ્રથમ શક્તિશાળી રાજ્ય મગધ જ શા માટે બન્યુંબીજા એકેય કેમ નહીંએનું કારણ શું હતું
*કારણ કે મગધમાં લોખંડ આસાનીથી મળતું હતું. લોખંડનો ઉપયોગ હથિયાર બનાવવામાં થતો હતો*

●મગધની રાજધાની
*જૂની રાજધાની રાજગીર અને ત્યારબાદ પાટલીપુત્ર*

●મગધની જૂની રાજધાની રાજગીર
*પાંચ ટેકરીઓથી ઘેરાયેલી હતી*

●મગધની નવી રાજધાની પાટલીપુત્ર
*ચારે બાજુ નદીઓથી ઘેરાયેલી*
*ચારે બાજુ પાણીની કિલ્લેબંધી હોવાથી પાટલીપુત્રને જળદુર્ગ કહેવામાં આવતી*

●ભારતમાં આવેલો પ્રથમ આક્રમણખોર કોણ હતો
*ઈરાની શાસક દેરિયસ*
*ઇ.પૂ.516માં ભારતમાં ઘૂસ્યો હતો*

●ઇ.પૂ.530 પહેલા ઇરાનના હખામની સમ્રાટ સાઈરસે હિંદુ કુશ પર્વત પાર કરીને કયા પ્રદેશો જીત્યા હતા
*કંબોજ અને ગાંધાર*

●ઈતિહાસના પિતા કહેવાતા હેરોડોટ્સ મુજબ ગાંધાર હખામની સામ્રાજ્યનો કેટલામો પ્રાંત હતો
*20મો*
*ફારસ સામ્રાજ્યમાં કુલ 28 પ્રાંત હતા*

●ટેલેન્ટ મુદ્રા શું છે
*ભારતનું એક પ્રાચીન માપ*

●ગાંધારના સૈનિકો કોની સેનામાં જોડાઈને યુનાનીઓ સામે લડતા
*ફારસની*

●ઇરાનના લેખક કાતિબ ભારતમાં એક નવી લેખન શૈલી લઈને આવ્યા હતા. તે કઈ લિપિ કહેવાઈ
*ખરોષ્ઠિ લિપિ*
*આ લિપિમાં અરબી ભાષાની જેમ જામણેથી ડાબી બાજુ લખવાનું હોય છે*

*👆🏾🗞ગુજરાત સમાચાર ન્યૂઝપેપરમાંથી🗞👆🏾*

*🔥👇🏻પ્રાચીન ભારત લેખાંક-15 Coming soon...👇🏻*

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*🗞Date:-09/11/2019🗞👇🏻*

●ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ માટે જાપાનના પ્રતિષ્ઠિત સન્માન ડેમિંગ પ્રાઇઝથી કોણે સન્માનિત કરવામાં આવ્યા
*TVS ગ્રુપના ચેરમેન વેણુ શ્રીનિવાસનને*

●2012માં પદ્મશ્રીથી સન્માનિત ગાયક જેમનું હાલમાં નિધન થયું
*રમાકાંત ગુંદેચા*

●કરતારપુર કોરિડોરમાં ભારત તરફથી બનેલા કેટલા કિમી. લાંબા કોરિડોરનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુભારંભ કરશે
*3.8 કિમી.*

●ત્રિપુરાના ચીફ જસ્ટિસ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી
*જસ્ટિસ અકિલ કુરેશી*

●મેન્સ હોકી વર્લ્ડકપ 2023ની યજમાની કયો દેશ કરશે
*ભારત*
*સતત બીજી વખત ભારતની પસંદગી*

●મહિલા હોકી વર્લ્ડકપ 2022ની યજમાની કયા દેશ કરશે
*નેધરલેન્ડ અને સ્પેન સંયુક્ત રીતે*

●અમેરિકા અને બાંગ્લાદેશ વચ્ચે સૌથી મોટા નૌસેના અભ્યાસ ચાલી રહ્યો છે. તેનું નામ શું છે
*કો-ઓપરેશન અફલોટ રેડીનેસ એન્ડ ટ્રેનિંગ*

●2020માં રમાનાર ફિફા અંડર-17 મહિલા વર્લ્ડકપના સત્તાવાર લોગોનું અનાવરણ કયા દેશમાં કરવામાં આવ્યું
*ભારત*

●મિસ એશિયા ગ્લોબલ ટાઈટલ 2019ના વિજેતા કોણ બન્યું
*સારા દમનજનોવિક*
*તેઓ સર્બિયાના સૌંદર્ય સામ્રાજ્ઞઈ છે*
*કોચી ખાતે સ્પર્ધા યોજાઈ હતી*

●કયા રાજ્યએ તેના જંગલોના સુધાર માટે ફ્રાન્સ સાથે 400 કરોડ રૂપિયાની સંધિ કરી
*આસામે*

●વિશ્વમાં સૌથી વધુ સુવર્ણ ભંડાર ધરાવતો દેશ કયો જાહેર થયો
*અમેરિકા*

●નવેમ્બર મહિનાની કઈ તારીખે વિશ્વ સુનામી જાગૃકતા દિવસ મનાવામાં આવે છે
*5 નવેમ્બર*

●ઇન્ડ્સ ઇન બેન્કના CEO તરીકે કોણે નિયુક્ત કરવામાં આવ્યા
*સુમન કથપાલિયા*

●તાજેતરમાં જાહેર કરવામાં આવેલા ATP રેન્કિંગમાં કયા ટેનિસ ખેલાડીનો ક્રમ પ્રથમ છે
*રાફેલ નડાલ*
*જોકોવિચ બીજા અને રોજર ફેડરર ત્રીજા ક્રમે*

●IMFના અહેવાલ પ્રમાણે 2020 સુધીમાં કયો દેશ વિશ્વમાં સૌથી ઝડપથી આર્થિક વૃદ્ધિ કરનારો દેશ બની જશે
*ગુયાના*

●ધ ફાર ફિલ્ડ નવલકથાને જેસીબી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા.આ નવલકથાના લેખિકા કોણ છે
*માધુરી વિજય*

●કયા રાજ્યની સરકારે બેરોજગાર યુવાનો માટે રોજગાર હેલ્પલાઇન સેવાનો શુભારંભ કર્યો
*પંજાબ*

*👇🏻🗞Newspaper Current🗞👇🏻*

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥
1. મેલેરિયા થયેલ દર્દીની બ્લડ સ્લાઈડ લીધા બાદ તેને થિન સ્મિયર બનાવવા માટે કેટલા એંગલે સ્લાઈડને પકડવી અને સ્પ્રેડ કરવી જોઈએ
45 ડીગ્રી


2.પીવાના પાણીના એક માટલામાં 0.5 મિલિ. ક્લોરીનની કેટલી ગોળી નખાય છે
એક

3.મહિલા અને બાળ વિકાસના વિભાગનું એક અંગ છે......
આંગણવાડી વર્કર

4.પી.વાયએક્સમાં કેટલા દિવસની સારવાર આપવામાં આવે છે
દિન-14

5.ટી.બી.ના માઈક્રોસ્કોપિક નિદાન માટે કેટલા ગળફાના નમુનાની તપાસ થાય છે
2

6.બ્લડપ્રેસર માપવા માટે કયું સાધન વપરાય છે
સ્ફીગ્મોમેનોમીટર

7.પ્રથમવાર સગર્ભા થયેલ માતાને ધનુરના (TT) કેટલા ઈન્જેકશન આપવાના થાય છે
બે

8.પી.બી.દર્દીના નિદાન માટે આધાર........
ચાઠાં 6 થી ઓછા હોવા જોઈએ

9.ઝાડા રોગ શેનાથી ફેલાય છે
દૂષિત ખોરાક

10.હિપેટાઈટીસ-બી (ઝેરી કમળો) શેનાથી ફેલાય છે
લોહી


11.ડેન્ગ્યુ વિરોધી માસ કયા મહિનામાં ઉજવાય છે
જુલાઈ

12.હુકવર્મની સારવારમાં કઈ ટેબલેટ આપવામાં આવે છે
આલ્બેન્ડાઝોલ

13.ક્લોરીનેશન શેનું કરવામાં આવે છે
પાણી

14.લેપ્રારીએકશનમાં કઈ દવા ખૂબ અસરકારક છે
પ્રેડનિસોલોન

15.ન્યુટ્રીશન એનિમિયા કયા પોશાક તત્વની ઊણપથી થાય છે
આયર્ન

16.એમ.ડી.આર. ટી.બી.ની દવાનો સમયગાળો કેટલો છે
24 માસ

17.DDT નું આખું નામ શું છે
ડાયક્લોરો ડાયફીનાઇલ ટ્રાયક્લોરોઈથેન

18.NVBDCP શું છે
નેશનલ વેક્ટર બોર્ન ડિઝીસ કન્ટ્રોલ પ્રોગ્રામ

19.દવા લીધા પછી પેશાબ લાલ થવો તેવું કઈ દવાથી થાય છે
રિફામ્પિસીન

20.ડાયેરિયા પ્રોગ્રામ અંતર્ગત બાળકને ORS સાથે કઈ ગોળી આપવામાં આવે છે
ઝિંક



21.ડેન્ગ્યુના ટેસ્ટ માટે તાવ શરૂ થવાને કેટલા દિવસ બાદ લોહી દેવામાં આવે છે
પાંચ

22.ઓ.આર.એસ. ના 1 પેકેટમાં પોટેશિયમ ક્લોરાઈડની કેટલી માત્રા હોય છે
1.5 ગ્રામ

23.ટ્યુબરક્યુલોસીસ કયા જંતુથી ફેલાય છે
માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલાઈ

24.ઓરી કઈ રીતે ફેલાય છે
હવા

25.પોરાનાશક માટે કઈ દવાનો ઉપયોગ થાય છે
ટેમેફોસ

26.ટેમીફ્લુ નામની દવા કયા રોગની સારવાર માટે વપરાય છે
સ્વાઈન ફ્લુ

27.એ.આર.વી.નું પૂરું નામ શું છે
એન્ટિ રેબીઝ વેકસીન

28.એપેડેમિક એટલે શું
એક જ રોગના - એક સાથે ઘણા કેસ

29.રસીઓની કોલ્ડચેઈન જાળવવા કેટલા ઉષ્ણતામાને સાચવવામાં આવે છે
+2° સે.ગ્રે. થી +8° સે.ગ્રે.

30.મચ્છરદાની જંતુનાશક દવાયુક્ત કર્યા બાદ કેટલા માસ સુધી તેની અસર રહે છે
6



31.મેલેરિયાનો ઈકયુબેશન પિરિયડ કેટલો હોય છે
11 દિવસનો

32.ક્રિમિયન-કોંગો હેમરેજીક ફીવર (CCHF)નો ફેલાવો કોણ કરે છે
ઈતડી

33.બ્રેટયુ ઈન્ડેક્સ માટેનું સૂત્ર
પોઝિટિવ પાત્રો ÷ તપાસેલ કુલ ઘરો × 100

34.લેપ્ટોસ્પાઇરોસીસની રોકથામ (અટકાયત) માટે કઈ દવા આપવામાં આવે છે
ડોકસીસાઈકલીન

35.મેલેરિયા કયા સૂક્ષ્મ જીવથી થાય છે
પ્રજીવ

36.ડેન્ગ્યુનો ફેલાવો કયા મચ્છરથી થાય છે
એડીસ ઇજીપ્તિ

37.ટાઇફોઇડ શાનાથી થતો રોગ છે
જીવાણુ

38.IDSP માટે શું સાચું છે
ઇન્ટિગ્રેટેડ ડિઝીઝ સર્વેલન્સ પ્રોગ્રામ

39.BCGની રસી કયા માર્ગે અપાય છે
ચામડીમાં (ઇન્ટ્રા ડર્મલ)

40.રક્તપિત્ત કયા સૂક્ષ્મજીવથી થાય છે
માઈકો બેક્ટેરિયમ લેપ્રાઈ

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*🗞Date:-10-11/11/2019🗞👇🏻*

●અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટની 5 જજની બંધારણીય બેંચે સર્વસંમતિથી ચુકાદો સંભળાવ્યો. સુનાવણી કરનાર 5 જજ👇🏻
*1.ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ*
*2.જસ્ટિસ એસ.એ.બોબડે*
*3.જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂડ*
*4.જસ્ટિસ અશોક ભૂષણ*
*જસ્ટિસ એસ.એ.નજીર*

●નળ સે જળ યોજના અંતર્ગત કયા વર્ષ સુધીમાં રાજ્યમાં તમામ ઘરમાં નળ દ્વારા પાણી મળશે
*2022*

●વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરતારપુર કોરિડોરનું ઉદ્દઘાટન ક્યાં કર્યું
*ગુરદાસપુર*

●ગુજરાતના નવા મુખ્ય સચિવ કોણ બનશે
*ગુરુપ્રસાદ મહાપાત્રા*

●ચૂંટણી સુધારાના પ્રણેતા માજી ચૂંટણી કમિશનર જેમનું હાલમાં નિધન થયું
*ટી.એન.શેષન*
*ચૂંટણી ઓળખપત્રની શરૂઆત તેમને કરી હતી*
*10મા ચૂંટણી કમિશનર તરીકે તેઓ 12 ડિસેમ્બર, 1990 થી 11 ડિસેમ્બર, 1996 સુધી આ પદ પર રહ્યા હતા*

●વિશ્વનું સૌપ્રથમ CNG (કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ) ટર્મિનલ 1900 કરોડના ખર્ચે ક્યાં બનશે
*ભાવનગર*
*યુનાઇટેડ કિંગડમ (યુ.કે.)ની ફોરસાઈટ ગ્રુપ સર્વિસીઝ લિમિટેડ કંપની અને અમદાવાદની પદ્મનામ મફતલાલ ગ્રુપને ટર્મિનલ બનાવવા મંજૂરી આપવામાં આવી*

●ટી-20 ક્રિકેટમાં હેટ્રિક લેનાર પ્રથમ ભારતીય કોણ બન્યો
*દિપક ચાહર*
*બાંગ્લાદેશ વિરુદ્ધ આ સિદ્ધિ મેળવી*

●ભારત તરફથી ત્રણેય ફોર્મેટમાં પ્રથમ હેટ્રિક ઝડપનાર ખેલાડીઓ👇🏻
*ટેસ્ટ મેચમાં:- હરભજન સિંઘ Vs. ઓસ્ટ્રેલિયા (2001માં)*
*વન-ડે મેચમાં:- ચેતન શર્મા Vs. ન્યુઝીલેન્ડ (1987માં)*
*ટી-20 મેચમાં :- દિપક ચાહર Vs. બાંગ્લાદેશ (2019માં)*

●ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી નાની વયે અડધી સદી ફટકારનાર ભારતીય ખેલાડી કોણ બન્યું
*મહિલા ખેલાડી શેફાલી વર્મા*
*15 વર્ષ 285 દિવસમાં*
*વેસ્ટઇન્ડિઝ વિરુદ્ધ*
*સચિન તેંડુલકરનો 16 વર્ષ 214 દિવસનો રેકોર્ડ તોડ્યો(1989માં પાકિસ્તાન વિરુદ્ધ)*

●ફેડ કપ (ટેનિસ)માં કઈ ટીમ ચેમ્પિયન બની
*ફ્રાન્સ*
*ઓસ્ટ્રેલિયાને હરાવ્યું*

*👇🏻🗞Newspaper Current🗞👇🏻*

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥
●ગિજુભાઈ બધેકાનું નામ કયા ક્ષેત્રમાં જાણીતું છે
*બાળસાહિત્ય*

●તિરુવનંતપુરમ એ કયા રાજ્યની રાજધાની છે
*કેરળ*

●ઇસ્ટોનિયાનું પાટનગર કયું
*તાલ્લીન*

●ભારત-ચીન વચ્ચે પંચશીલ કરાર ક્યારે થયા હતા
*1954*

●ઈરાનની પાર્લામેન્ટનું નામ
*મજલિસ*

●વિજયનગરના સામ્રાજ્યના પ્રાચીન ખંડેરો ક્યાં છે
*હમ્પી*

●દુનિયાનું બ્રેડ બાસ્કેટ એટલે કયો પ્રદેશ
*પ્રેરીઝ*

●પોસ્ટલ સેવામાં પીનકોડની શરૂઆત ક્યારે થઈ
*1972*

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*🗞Date:-12/11/2019🗞👇🏻*

●દક્ષિણ અમેરિકી દેશ બોલિવિયાના રાષ્ટ્રપતિ જેમને હાલમાં ચૂંટણી ગરબડ કરવાના આક્ષેપો થયા બાદ રાજીનામુ આપ્યું
*ઈવો મોરાલેસ*

●હન્ડ્રેડ ડ્રમ્સ વાંગ્લા ફેસ્ટિવલ હાલમાં કયા રાજયમાં ઉજવાયો
*મેઘાલય*

●14 થી 20 નવેમ્બરરાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ

●11મી બ્રિક્સ સમિટ ક્યાં યોજાશે
*બ્રાઝિલની રાજધાની બ્રાઝિલિયામાં*

●બ્રિટનની સંસદ(હાઉસ ઓફ કોમન્સ)માં ચૂંટાયેલા અને સતત 8 ટર્મથી ચૂંટાતા રહેતા સૌથી લાંબા સમય સુધી સાંસદ રહેનારા ભારતીય મૂળના વ્યક્તિ જેમને હાલમાં નિવૃત્તિની જાહેરાત કરી
*કીઝ વાથ*

●અમેરિકાએ કોમ્યુનિસ્ટ પાર્ટી પફ ઇન્ડિયા (માઓવાદી)ને દુનિયાનું કેટલામાં ક્રમનું સૌથી મોટું આતંકવાદી સંગઠન જાહેર કર્યું
*છઠ્ઠા ક્રમનું*

●ઇન્ડિયન એરફોર્સમાં સ્ક્વોડ્રન લીડર જેમને બાલાકોટ એર સ્ટ્રાઈકમાં ઉત્કૃષ્ટ કામગીરી બજાવવા બદલ 'યુદ્ધ સેવા મેડલ'થી નવાજવામાં આવ્યા
*મિન્ટી અગ્રવાલ*

*👇🏻🗞Newspaper Current🗞👇🏻*

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*🗞Date:-13/11/2019🗞👇🏻*

●મહારાષ્ટ્રમાં કેટલામી વાર રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું
*ત્રીજીવાર*
*પહેલીવાર 1980 અને બીજીવાર 2014માં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું હતું*

●કયા દેશની સંસદમાં મેચ ફિક્સિંગમાં સીધી કે આડકતરી રીતે સામેલગીરી બદલ 10 વર્ષ સુધીની જેલની જોગવાઈ કરતું બિલ પસાર થયું
*શ્રીલંકા*
*આ બિલ પસાર કરનાર એશિયાનો પ્રથમ દેશ બન્યો*

●કયા દેશમાંથી 14,000 વર્ષ જુના હાથી દાંત મળ્યા
*મેક્સિકો*
*ટુલ્ટપેક શહેરની ખીણમાંથી*

●ગુજરાતમાં સૌપ્રથમ કયા ઝૂ માં હમદ્રયાસ બબૂન વાનરનું આગમન થયું
*રાજકોટ*
*પંજાબથી લવાયા*

●એમએસ યુનિવર્સિટીના પુરાતત્વ વિભાગે ભુજના કયા વિસ્તારમાં 2017માં મળેલા આદિમાનવના અવશેષો 1.14 લાખ વર્ષ જુના હોવાના કહે છે
*સાંધવ*

●હાલમાં રાષ્ટ્રીય કેન્સર દિવસ કઈ તારીખે ઊજવાયો
*7મી નવેમ્બર*

●UAEના પુનઃરાષ્ટ્રપતિ તરીકે કોણ ચૂંટાઈ આવ્યા
*શેખ ખલિફા*

●કલકત્તાના ખ્યાતનામ કવયિત્રી, નવલકથાકાર અને કેળવણીકાર તથા જાણીતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનના પત્ની જેમનું હાલમાં નિધન થયું
*નવનીતા સેન*

●ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે તાજેતરમાં સંયુક્ત નૌસેના અભ્યાસ થયો.આ અભ્યાસનું નામ શું રાખવામાં આવ્યું
*સમુદ્રશક્તિ*

●લેખક અભિષેક સરકારને ઢાકા લિટરેચર ફેસ્ટિવલમાં પુરસ્કૃત કરવામાં આવ્યા.

●નો મની ફોર ટેરર સંમેલન 2019 ક્યાં યોજાયું
*ઓસ્ટ્રેલિયા*

●યુદ્ધ અને સશસ્ત્ર સંઘર્ષમાં પર્યાવરણનું શોષણ અટકાવવા માટેનો જાગૃકતા દિવસ ક્યારે મનાવામાં આવ્યો
*8મી નવેમ્બર*

●કયા રેલવે સ્ટેશન પર સૌપ્રથમ હેલ્થ ATMની શરૂઆત થઈ
*લખનઉ*

●ISSFમાં ગોલ્ડ મેડલ મેળવનારી સૌથી નાની વયની ભારતીય મહિલા શૂટર
*મનુ ભાકરે*

●ભગવાન રામનું ડિજિટલ સંગ્રહાલય ક્યાં બનાવામાં આવ્યું
*અયોધ્યા*

●ટી-20 વર્લ્ડકપ ટ્રોફીનું અનાવરણ કોના દ્વારા કરવામાં આવ્યું
*અભિનેત્રી કરીના કપૂર*

●ભારત અને જાપાન વચ્ચે થયેલા સૈન્ય અભ્યાસનું નામ
*ધર્મ સંરક્ષક*

●મુંબઇ UCCNનું સદસ્ય બન્યું.એનું ફૂલ ફોર્મ શું
*યુનેસ્કો ક્રિએટિવ સાઇટ્સ નેટવર્ક*
*UCCNની સ્થાપના:- 2004માં*

●પૂજા ગેહલોત કઈ રમત સાથે સંકળાયેલા છે
*કુસ્તી*

●યુનેસ્કોએ વિશ્વ સિટી દિવસ નિમિત્તે 'ક્રિએટિવ સિટી ઓફ ગેસ્ટ્રોનોમી'નું બિરુદ કઈ સિટીનેઆપ્યું
*હૈદરાબાદ*

●યુનેસ્કોએ મુંબઈને કયું બિરુદ આપ્યું
*'ક્રિએટિવ સિટી ઓફ ફિલ્મ્સ*

●બેલ્જિયમના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ બન્યા
*સોફી વિલિયમ્સ*

●મલયાલમ ભાષા અને સાહિત્યમાં ફાળો આપવા બદલ કયા લેખકની પસંદગી કેરળ સરકારના 27મી ઇઝુથાચન એવોર્ડ 2019 માટે પસંદ કરવામાં આવ્યા છે
*લેખક આનંદની*

●સિંગલ ડોક્યુમેન્ટરી કેટેગરીમાં બાફ્ટા સ્કોટલેન્ડ એવોર્ડ્સ 2019 કોણે જીત્યો
*રિયલ કાશ્મીર ફુટબોલ ક્લબ*

●ભાવિ સમયની બેટરી સિસ્ટમ વિકસાવવા માટે ઓસ્ટ્રેલિયન સરકારનો 'અર્લી કરિયર રિસર્ચર ધ યર' 2019 એવોર્ડ કોણે જીત્યો
*ભારતીય મૂળના સંશોધનકાર ડૉ.નિરજ શર્માએ*

●કલા અને સામાજિક-સાંસ્કૃતિક ક્ષેત્રે યોગદાન બદલ ડૉ.કે.પી. નંદકુમારને કયો એવોર્ડ એનાયત થશે
*સસ્થા રામ એવોર્ડ 2019*

●કઈ ઇન્સ્ટિટ્યૂટના સંશોધકોએ પ્રથમ ભારતીય બ્રેઇન એટલાસ બનાવ્યું
*હૈદરાબાદની ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફર્મેશન ટેકનોલોજી (IIIT-H)*

●દિવ્યાંગો માટે 'એરાઈઝ-એ-સ્ટેન્ડિંગ વ્હીલચેર' કોણે રજૂ કરી
*IIT મદ્રાસ*

●IIT દિલ્હીએ ઈસરો સાથે મળીને અંતરિક્ષ ટેકનોલોજી સેલ સ્થાપવાનો નિર્ણય કર્યો.

●ભારતના લેન્ડ પોર્ટ ઓથોરિટીના અધ્યક્ષ તરીકે કોની નિમણુક કરવામાં આવી
*આદિત્ય મિશ્રા*

●ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે પહેલી સંયુક્ત લશ્કરી કવાયત તાશ્કંદ નજીક ચર્ચિત તાલીમ વિસ્તારમાં યોજવામાં આવી.આ કવાયતનું નામ
*દુશ્તીક 2019*

●ભારત અને ફ્રાન્સ વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત રાજસ્થાનના બિકાનેરમાં શરૂ થઈ. આ કવાયતનું નામ
*શક્તિ*

●કોમનવેલ્થ કાયદા પ્રધાનોનું સંમેલન ક્યાં યોજાયું
*શ્રીલંકાની રાજધાની કોલંબોમાં*
*કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું*

●કયા ભારતીય રેતી કલાકારને ઇટાલિયન ગોલ્ડન સેન્ડ આર્ટ એવોર્ડ 2019 માટે પસંદ થયા
*સુદર્શન પટનાયક*

●ડાયટ યોજના અંતર્ગત કયા રાજયમાં 1 કિલો પ્લાસ્ટિક કચરાના બદલામાં મફત ખોરાક આપવામાં આવે છે
*ઓડિશા*

●તાજેતરમાં નાગાલેન્ડ રાજ્યની સરકારે રાજ્યની બહાર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે કઈ યોજના શરૂ કરી
*નાગાલેન્ડ એક્સ ગ્રેસીયા*

●કયા રાજ્યની સરકારે સજા પુરી કરી ચૂકેલા અને પ્રત્યાર્પણની પ્રતીક્ષા કરી રહેલા વિદેશી કેદીઓ માટે 'સલામત ઘર' બનાવવાનો નિર્ણય લીધો
*પશ્ચિમ બંગાળ*

●અમેરિકાના જાણીતા અભિનેતા અને હાસ્ય કલાકાર જ્હોન વિથરસ્પૂનનું નિધન.

●મરાઠી લેખિકા ગિરિજા કીરનું નિધન.

*👇🏻🗞Newspaper Current🗞👇🏻*

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥
*🔥CURRENT🔥*

*🗞Date:-14/11/2019🗞👇🏻*

●14 નવેમ્બરપંડિત જવાહરલાલ નહેરુની 130મી જન્મજયંતી

●14 થી 20 નવેમ્બરઆંતરરાષ્ટ્રીય બાળ અધિકાર સપ્તાહ

●14 નવેમ્બરવર્લ્ડ ડાયાબીટીસ અને ચિલ્ડ્રન ડે

●અયોધ્યા રામ મંદિર કેસમાં ઐતિહાસિક વિજય અપાવનાર વકીલ
*93 વર્ષીય કે.પરાસરન*
*કે.પરાસરન 1983 થી 1989 દરમ્યાન ભારતના એટર્ની જનરલ રહી ચૂક્યા છે*
*2003માં પદ્મભૂષણ અને 2011માં પદ્મવિભૂષણથી સન્માનિત*

●અયોધ્યા રામ મંદિર કેસમાં રામાયણમાં બતાવેલી અયોધ્યાની 14 જગ્યાઓના ખોદકામ અને સંશોધન કરી કોર્ટમાં પુરાવાઓ રજૂ કરનાર
*બ્રજ બાસી લાલ (બી.બી.લાલ)*

●ગુજરાત સરકારે ખેડૂતો સામે આફત સામે કેટલા કરોડની સહાયની જાહેરાત કરી
*700 કરોડ*
*33% થી વધારે નુકસાન સામે સહાય*
*પિયત જમીન માટે હેક્ટર દીઠ 13,500 અને બિન પિયત જમીન માટે હેક્ટર દીઠ 6,800 મળશે*
*12 દિવસના કમોસમી વરસાદમાં થયેલું નુકસાન ધ્યાને લેવાશે*

●મુંબઈથી દીવ વચ્ચેની ક્રુઝનો આરંભ

●મ્યુઝિયમના ઈતિહાસમાં પ્રથમ ભારતીય ટ્રસ્ટી કોણ બન્યા
*નીતા અંબાણી*
*ન્યુયોર્કના ધ મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટના માનદ ટ્રસ્ટી જાહેર કરાયા*

●ફુટબોલર અને વર્લ્ડ ચેમ્પિયન ડેવિડ વિલાની નિવૃત્તિ.તેઓ કયા દેશના છે
*સ્પેન*

*👇🏻🗞Newspaper Current🗞👇🏻*

https://t.me/jnrlgk

https://t.me/gyan_ki_duniya

💥રણધીર💥