NET GSET
5.72K subscribers
1.29K photos
43 videos
374 files
277 links
Join for UGC-NET-JRF and SET Exam

Daily Questions , Quiz and Informational Post in this Channel for NET-GSET Aspirants

Useful also Professor,Assistant Professor & Ph.D Research Scholar.

Education 📝 is the Most Powerful Weapon🔪 in the 🌎
Download Telegram
Forwarded from GYAN ACADEMY TET TAT EXAM (Daslaniya Mayank)
અધ્યયન સંક્રમણને અસર કરતા મુખ્ય પરિબળ ..........
Anonymous Quiz
4%
બુદ્ધિ
10%
હકારાત્મક વલણ
6%
અર્થપૂર્ણ વિષયવસ્તુ
80%
આપેલ તમામ
Forwarded from GYAN ACADEMY TET TAT EXAM (Daslaniya Mayank)
Forwarded from GYAN ACADEMY TET TAT EXAM (Daslaniya Mayank)
બુદ્ધિ માપનની પદ્ધતિ 1905 માં સૌપ્રથમ કોણે નિર્મિત કરી?
Anonymous Quiz
12%
વુંટ
66%
બિને તથા સાયમન
5%
ત્રણ અવયવી સિદ્ધાંત
18%
ઉપરનાં બધા જ
ટૂંકી માહિતી પણ ખૂબ કામની🙏🏼🤟🏼🤞🏼
011) E-Books - Gyan Darshan.pdf
31.3 MB
011) E-Books - Gyan Darshan.pdf
Std 11 & 12 Vyakran 2025.pdf
95.3 MB
Std 11 & 12 Vyakran 2025.pdf
Std 9 & 10 Vyakran 2025.pdf
104.8 MB
Std 9 & 10 Vyakran 2025.pdf
બંધારણ MCQ પ્રશ્નો1100 +.pdf
112.3 KB
બંધારણ MCQ TAT special પ્રશ્નો1100 +.pdf
😂😇🤟🏼🙏🏼😁
મનોવિજ્ઞાનના મુખ્ય વાદ (Schools of Psychology)
રચનાવાદ (Structuralism): આ વાદના પ્રણેતા વિલ્હેમ વુન્ટ હતા. તેમણે મન અને ચેતનાના ઘટકો સમજવા પર ભાર મૂક્યો અને આંતર-નિરીક્ષણ પદ્ધતિ આપી.
કાર્યવાદ (Functionalism): તેના સ્થાપક વિલિયમ જેમ્સે હતા. તેમણે સમજાવ્યું કે મન કેવી રીતે કાર્ય કરે છે અને તે પર્યાવરણ સાથે અનુકૂલન સાધવામાં કેવી રીતે મદદરૂપ થાય છે.
વર્તનવાદ (Behaviorism): આ વાદના સ્થાપક જે. બી. વૉટસન હતા. તેમણે મનોવિજ્ઞાનને 'વર્તનનું વિજ્ઞાન' કહ્યું અને માત્ર જોઈ શકાય તેવા વર્તનના અભ્યાસ પર ભાર મૂક્યો.
સમષ્ટિવાદ (Gestaltism): તેના મુખ્ય પ્રણેતાઓ વર્ધિમર, કોહલર અને કોફકા હતા. તેમનો મુખ્ય વિચાર હતો કે "સમગ્રતા એ તેના ભાગોના સરવાળા કરતાં વિશેષ છે."
મનોવિશ્લેષણવાદ (Psychoanalysis): આ વાદના પિતા સિગ્મંડ ફ્રોઈડ હતા. તેમણે અચેતન મન અને દમિત ઈચ્છાઓના પ્રભાવ વિશે વાત કરી.
માનવતાવાદ (Humanism): તેના પ્રણેતા અબ્રાહમ મેસ્લો અને કાર્લ રોજર્સ હતા. તેમણે વ્યક્તિની સ્વ-વિકાસની ક્ષમતા અને આત્મ-સાક્ષાત્કાર પર ભાર મૂક્યો.
મનોવિજ્ઞાનના મહત્વના સિદ્ધાંતો અને પ્રતિપાદકો
૧. શિક્ષણ (Learning) ના સિદ્ધાંતો:
પ્રયત્ન અને ભૂલનો સિદ્ધાંત: એડવર્ડ એલ. થોર્નડાઇક (બિલાડી પર પ્રયોગ).
શાસ્ત્રીય અભિસંધાન: ઈવાન પાવલોવ (કુતરા પર પ્રયોગ).
કારક અભિસંધાન: બી. એફ. સ્કીનર (ઉંદર અને કબૂતર પર પ્રયોગ).
આંતરસૂઝ દ્વારા શિક્ષણ: કોહલર (ચિમ્પાન્ઝી 'સુલતાન' પર પ્રયોગ).
સામાજિક શિક્ષણનો સિદ્ધાંત: આલ્બર્ટ બાંડુરા (અવલોકન દ્વારા શિક્ષણ).
૨. વિકાસ અને બુદ્ધિના સિદ્ધાંતો:
બોધાત્મક વિકાસનો સિદ્ધાંત: જીન પિયાજે (બાળકના વિકાસના ૪ તબક્કા).
બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત: હોવર્ડ ગાર્ડનર (બુદ્ધિના વિવિધ પ્રકારો).
નૈતિક વિકાસનો સિદ્ધાંત: લોરેન્સ કોહલબર્ગ.
જરૂરિયાતનો શ્રેણીક્રમ: અબ્રાહમ મેસ્લો.
મનોસામાજિક વિકાસનો સિદ્ધાંત: એરિક એરિક્સન.
બુદ્ધિના અન્ય મહત્વના સિદ્ધાંતો
બુદ્ધિનો એકઘટક સિદ્ધાંત: આલ્ફ્રેડ બિને (Alfred Binet)
બુદ્ધિનો દ્વિઘટક સિદ્ધાંત: સ્પિયરમેન (Spearman) - (G-Factor અને S-Factor)
બુદ્ધિનો ત્રિપરિમાણીય સિદ્ધાંત (Structure of Intellect): જે. પી. ગિલફર્ડ (J. P. Guilford)
બુદ્ધિનો આંક (IQ) શોધનાર: વિલિયમ સ્ટર્ન (William Stern) - (સૂત્ર: માનસિક વય / શારીરિક વય \times 100)
પ્રવાહી અને સ્ફટિકમય બુદ્ધિનો સિદ્ધાંત: રેમન્ડ કેટલ (Raymond Cattell)
વિકાસ અને વ્યક્તિત્વના સિદ્ધાંતો
મનોસામાજિક વિકાસના ૮ તબક્કા: એરિક એરિક્સન (Erik Erikson)
સામાજિક-સાંસ્કૃતિક વિકાસનો સિદ્ધાંત: લેવ વાયગોત્સ્કી (Lev Vygotsky) - (ZPD અને Scaffolding નો ખ્યાલ)
વ્યક્તિત્વના ગુણધર્મનો સિદ્ધાંત (Trait Theory): જી. ડબલ્યુ. ઓલપોર્ટ (G. W. Allport)
મનોલૈંગિક વિકાસના તબક્કા: સિગ્મંડ ફ્રોઈડ (Sigmund Freud)
સ્વ-સિદ્ધિનો સિદ્ધાંત: અબ્રાહમ મેસ્લો (Abraham Maslow)
શિક્ષણ અને બોધાત્મક સિદ્ધાંતો
અર્થપૂર્ણ શાબ્દિક શિક્ષણનો સિદ્ધાંત: ડેવિડ આસુબેલ (David Ausubel)
ક્ષેત્ર સિદ્ધાંત (Field Theory): કર્ટ લેવિન (Kurt Lewin)
શોધ નિરૂપણ શિક્ષણ (Discovery Learning): જેરોમ બ્રુનર (Jerome Bruner)
ચિહ્ન અભિસંધાનનો સિદ્ધાંત (Sign Learning): એડવર્ડ ટોલમેન (Edward Tolman)
માસ્ટરી લર્નિંગ (Mastery Learning): બેન્જામિન બ્લૂમ (Benjamin Bloom)
અન્ય વિશિષ્ટ ખ્યાલો
કિન્ડરગાર્ટન (KG) પદ્ધતિના સ્થાપક: ફ્રેડરિક ફ્રોબેલ (Friedrich Froebel)
મોન્ટેસરી પદ્ધતિના સ્થાપક: મારિયા મોન્ટેસરી (Maria Montessori)
પ્રોજેક્ટ પદ્ધતિના પ્રણેતા: વિલિયમ કિલપેટ્રિક (William Kilpatrick)
પ્રશ્નોત્તરી પદ્ધતિ: સોક્રેટિસ (Socrates)
રોકડા માર્ક્સ માટે ની શોર્ટ કટ 🎯
જાદુઈ પિટારા (Jaadui Pitara) મુખ્યત્વે કયા વય જૂથના બાળકો માટે તૈયાર કરવામાં આવ્યું છે?
a) 6 થી 10 વર્ષ
b) 3 થી 8 વર્ષ
c) 10 થી 15 વર્ષ
d) 0 થી 3 વર્ષ
Ex: જાદુઈ પિટારા એ 3 થી 8 વર્ષના બાળકો માટે પ્લે-આધારિત શિક્ષણ સામગ્રી છે.

NEP 2020 મુજબ 'ફાઉન્ડેશન સ્ટેજ' માં કયા ધોરણોનો સમાવેશ થાય છે?
a) ધોરણ 1 થી 5
b) માત્ર બાલવાટિકા
c) આંગણવાડી/બાલવાટિકા થી ધોરણ 2
d) ધોરણ 3 થી 5
Ex: ફાઉન્ડેશન સ્ટેજમાં 3 વર્ષની પૂર્વ-પ્રાથમિક શિક્ષણ અને ધોરણ 1-2 નો સમાવેશ થાય છે.

શાળામાં 'બેગલેસ ડે' (Bagless Day) ની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે?
a) બાળકોને રજા આપવી
b) પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ અને કૌશલ્ય વર્ધન
c) માત્ર રમતગમત કરવી
d) શિક્ષકોનો કાર્યભાર ઘટાડવો
Ex: બેગલેસ ડે દ્વારા વિદ્યાર્થીઓને પ્રાયોગિક અને કૌશલ્ય આધારિત શિક્ષણ આપવામાં આવે છે.

'જાદુઈ પિટારા' માં નીચેનામાંથી કઈ સામગ્રીનો સમાવેશ થાય છે?
a) રમકડાં, કાવ્યો અને વાર્તાઓ
b) માત્ર મોટી નવલકથાઓ
c) વિજ્ઞાનના જટિલ સાધનો
d) હાઈસ્કૂલના પાઠ્યપુસ્તકો
Ex: તેમાં નાના બાળકો માટે રમત-ગમતની સામગ્રી, કાર્ડ્સ અને વાર્તાના પુસ્તકો હોય છે.

NEP 2020 નું નવું શૈક્ષણિક માળખું કયું છે?
a) 10+2
b) 5+3+3+4
c) 5+4+3+2
d) 8+4
Ex: નવી શિક્ષણ નીતિ 5+3+3+4 ના માળખા પર આધારિત છે.

બાલવાટિકાથી ધોરણ 2 ના બાળકો માટે બેગલેસ ડે માં કઈ પ્રવૃત્તિ સૂચવવામાં આવી છે?
a) વૈજ્ઞાનિક પ્રયોગો
b) ગીત, વાર્તા અને ચિત્રકામ
c) સ્પોર્ટ્સ ટૂર્નામેન્ટ
d) ગ્રુપ ડિસ્કશન
Ex: નાના બાળકો માટે સર્જનાત્મક અને સરળ પ્રવૃત્તિઓ જેવી કે ગીત-સંગીત શ્રેષ્ઠ છે.

ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે કયા પ્રકારની પ્રવૃત્તિઓ બેગલેસ ડે માં યોગ્ય છે?
a) માત્ર ઊંઘવું
b) વૈજ્ઞાનિક પ્રયોગો અને વોકેશનલ ટ્રેનિંગ
c) અક્ષર લેખન
d) જોડકણાં ગાવા
Ex: મિડલ સ્ટેજમાં વિદ્યાર્થીઓને ટેકનિકલ અને પ્રાયોગિક જ્ઞાન આપવું જરૂરી છે.

ભારત સરકારના કયા મંત્રાલય દ્વારા 'જાદુઈ પિટારા' લોન્ચ કરવામાં આવ્યું છે?
a) ગૃહ મંત્રાલય
b) શિક્ષણ મંત્રાલય
c) રમતગમત મંત્રાલય
d) નાણા મંત્રાલય
Ex: શિક્ષણ મંત્રાલય દ્વારા પાયાના શિક્ષણને મજબૂત કરવા આ પહેલ કરવામાં આવી છે.

'પ્રિપેરેટરી સ્ટેજ' (Preparatory Stage) માં કયા વય જૂથના બાળકો આવે છે?
a) 3 થી 6 વર્ષ
b) 8 થી 11 વર્ષ
c) 14 થી 18 વર્ષ
d) 11 થી 14 વર્ષ
Ex: 8 થી 11 વર્ષના બાળકો ધોરણ 3 થી 5 માં અભ્યાસ કરે છે જે પ્રિપેરેટરી સ્ટેજ છે.

શિક્ષણમાં 'માતૃભાષા' ના મહત્વ પર કઈ નીતિ સૌથી વધુ ભાર મૂકે છે?
a) શિક્ષણ નીતિ 1986
b) NEP 2020
c) હંટર કમિશન
d) મુદાલિયર પંચ
Ex: NEP 2020 પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપવાની ભલામણ કરે છે.

જાદુઈ પિટારા કેટલી ભાષાઓમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે?
a) માત્ર હિન્દી
b) માત્ર અંગ્રેજી
c) 13 ભારતીય ભાષાઓ
d) માત્ર સંસ્કૃત
Ex: જાદુઈ પિટારા વિવિધ પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ છે જેથી દરેક બાળક સમજી શકે.

'મિડલ સ્ટેજ' (Middle Stage) માં કયા ધોરણોનો સમાવેશ થાય છે?
a) 1 થી 3
b) 6 થી 8
c) 9 થી 12
d) 3 થી 5
Ex: ધોરણ 6, 7 અને 8 ને મિડલ સ્ટેજ તરીકે ઓળખવામાં આવે છે.

વર્તમાન સમયમાં શિક્ષકો માટે કઈ સજ્જતા અનિવાર્ય ગણવામાં આવી છે?
a) માત્ર શારીરિક શક્તિ
b) ભાષાકીય અને વિષયવસ્તુ સજ્જતા
c) માત્ર વહીવટી જ્ઞાન
d) રાજકીય જ્ઞાન
Ex: આધુનિક યુગમાં શિક્ષક પાસે ભાષા અને પોતાના વિષયનું ઊંડું જ્ઞાન હોવું જોઈએ.

ટેટ (TET) પરીક્ષાનું પૂરું નામ શું છે?
a) Teacher Eligibility Test
b) Teaching Entrance Tool
c) Technical Education Test
d) Total Education Task
Ex: શિક્ષક બનવા માટેની લાયકાત કસોટી એટલે Teacher Eligibility Test.

NEP 2020 મુજબ કયા ધોરણથી વ્યવસાયિક શિક્ષણ (Vocational Education) શરૂ કરવામાં આવશે?
a) ધોરણ 1
b) ધોરણ 10
c) ધોરણ 6
d) ધોરણ 3
Ex: વિદ્યાર્થીઓમાં કૌશલ્ય વિકાસ માટે ધોરણ 6 થી જ વોકેશનલ શિક્ષણની શરૂઆત થશે.

'જાદુઈ પિટારા' કયા લર્નિંગ મોડલ પર આધારિત છે?
a) માત્ર પુસ્તક વાંચન
b) લર્નિંગ બાય ડુઈંગ (Learning by Doing)
c) માત્ર ગોખણપટ્ટી
d) ઓનલાઇન ગેમિંગ
Ex: તે પ્રવૃત્તિ દ્વારા શીખવાના સિદ્ધાંત પર કાર્ય કરે છે.

વર્ષમાં કેટલા દિવસ 'બેગલેસ ડે' રાખવાની જોગવાઈ NEP 2020 માં છે?
a) 5 દિવસ
b) 10 દિવસ
c) 20 દિવસ
d) 30 દિવસ
Ex: વર્ષમાં ઓછામાં ઓછા 10 દિવસ બેગલેસ ડે રાખવાનું સૂચન છે.

શિક્ષણ ક્ષેત્રે 'નિપુણ ભારત' (NIPUN Bharat) મિશનનો હેતુ શું છે?
a) ઉચ્ચ શિક્ષણમાં સુધારો
b) પાયાની સાક્ષરતા અને અંક જ્ઞાન (FLN)
c) વિદેશમાં શિક્ષણ
d) મફત લેપટોપ વિતરણ.



આપેલ ચેનલમાં જે મિત્રો ચેનલમાં JOIN ના હોય તે મિત્રો ચેનલમાં જોડાઈ શકે છે.
https://chat.whatsapp.com/ILzWiqy504oIrflQoequ6I?mode=gi_t

TAT (HS) Commerce

મુખ્ય ઉદ્દેશ્યો:
મુખ્ય પરીક્ષા (Mains) માંથી S.P.C.C. વિષયને દૂર કરાવવા રજૂઆત કરવી, કારણ કે તેની કોઈ B.Ed. મેથડ ઉપલબ્ધ નથી.

મુખ્ય પરીક્ષાના પેપર-૨ માં Account અને B.A. વિષય રાખો પણ અથવામાં અપાવવા માંગણી કરવી.

અન્ય વિષયોની સરખામણીએ કોમર્સમાં સમાન પરીક્ષા માળખું લાવવા પ્રયત્ન કરવો.


જરૂરી નોંધ : ફક્ત કોમર્સ વિષયના મિત્રો જ આ ગ્રુપમાં જોડાય... અને કોમર્સ વિષયના મિત્રો સાથે શેર કરવા વિનંતી છે....